Western Times News

Gujarati News

આખો દિવસ વિશ્વાસ કરવામાં પસાર થશે કે હું વડાપ્રધાન બન્યો છું:પંકજ ત્રિપાઠી

એક દિવસ માટે વડાપ્રધાન બનો તો શું કરશો?

પંકજ ત્રિપાઠીની ફિલ્મ મેં અટલ હું ૧૯ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં આવી છે

મુંબઈ, બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા પંકજ ત્રિપાઠીની એક્ટિંગથી દરેક લોકો પ્રભાવિત છે. આ દિવસોમાં તે તેની ફિલ્મ મૈં અટલ હૂં માટે ચર્ચામાં છે. આ બાયોપિક ફિલ્મમાં પંકજ ત્રિપાઠીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન પંકજ ત્રિપાઠીએ કહ્યું કે જો તેમને ક્યારેય એક દિવસ માટે દેશના વડાપ્રધાન બનવાની તક મળે તો તેઓ શું કરશે.

ઈન્ટરવ્યુ દરમિયાન પંકજ ત્રિપાઠીને પૂછવામાં આવ્યું કે જો તેમને એક દિવસ માટે દેશના વડાપ્રધાન બનાવવામાં આવે તો શું કરશો? આ સવાલનો તેણે મજેદાર જવાબ આપ્યો. તેમણે કહ્યું, ‘આખો દિવસ વિશ્વાસ કરવામાં પસાર થશે કે હું વડાપ્રધાન બન્યો છું. નિર્ણય ક્યાંથી લઈશું, એ સમજવામાં અને વિશ્વાસ કરવામાં સમય પૂરો થઈ જશે. ત્યારે ખ્યાલ આવશે કે તમારો સમય પૂર્ણ થઈ ગયો છે. પંકજ ત્રિપાઠીએ ભાઈ ભત્રીજાવાદ પર શું કહ્યું?

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ (ભાઈ ભત્રીજાવાદ)નો મુદ્દો અવારનવાર ઊભો થતો રહે છે. પંકજ ત્રિપાઠીએ પણ આ અંગે ખુલીને વાત કરી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે ભત્રીજાવાદ વિશે શું વિચારે છે, તો અભિનેતાએ જવાબ આપ્યો, ‘તે વિશ્વના દરેક ક્ષેત્રમાં થાય છે. અન્ય ક્ષેત્રના લોકોના ઈન્ટરવ્યુ લેવામાં આવતા નથી તેથી આ મુદ્દો ઉભો થતો નથી અને પ્રતિભા એ પ્રતિભા છે, આ પણ મહત્વનું છે. કોઈપણ પરિવારનું બાળક પણ પ્રતિભાશાળી હોઈ શકે છે. તેથી વસ્તુઓને પ્રતિભાથી માપવી જોઈએ. પંકજ ત્રિપાઠીની ફિલ્મ ‘મેં અટલ હું’ ૧૯ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં આવી છે.

આમાં પંકજ ત્રિપાઠીના અભિનયના વખાણ થયા છે પરંતુ અપેક્ષા મુજબ આ ફિલ્મને બોક્સ ઓફિસ પર બહુ પ્રતિસાદ મળ્યો નથી. રિપોર્ટ અનુસાર, ‘મૈં અટલ હૂં’ પાંચ દિવસમાં ૧૦ કરોડ રૂપિયા પણ કમાઈ શકી નથી. ચાહકો આતુરતાથી ‘મિર્ઝાપુર ૩’ની રાહ જોઈ રહ્યા છેઃ હવે પંકજ ત્રિપાઠીના ચાહકો તેની લોકપ્રિય શ્રેણી ‘મિર્ઝાપુર’ની સીઝન ૩ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.