Western Times News

Gujarati News

બજેટમાં માલદીવ માટે ગત વર્ષ કરતા ૧૭૧ કરોડ ઓછા ફાળવાયા

નવી દિલ્હી, નણામંત્રી ર્નિમલા સીતારમણે ૨૦૨૪-૨૫નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટથી કેન્દ્ર સરકારે માલદીવને જાેરદાર ઝટકો આપ્યો છે. ભારતે તેના પાડોશી દેશ માલદીવ માટે ગયા વર્ષની સરખામણીમાં બજેટમાં ઓછી રકમ ફાળવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે માલદીવ માટે ૨૦૨૩-૨૪ના બજેટમાં ૭૭૧ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જ્યારે આ બજેટમાં કુલ ૧૭૧ કરોડ ઓછા ફાળવ્યા છે.

નાણામંત્રી ર્નિમલા સીતારમણના જણાવ્યા અનુસાર, ૨૦૨૪-૨૫માં માલદીવ માટે ૬૦૦ કરોડ રૂપિયાના બજેટનો અંદાજ રાખવામાં આવ્યો છે. કોઈપણ દેશ માટે બજેટમાં ફાળવવામાં આવેલી રકમ તેની આયાત અને નિકાસ પર ખર્ચવામાં આવે છે. વ્યવસાયિક વ્યવહારો ઉપરાંત, આ રકમ અન્ય દેશો સાથે લશ્કરી ટેક્નોલોજીના આદાનપ્રદાન માટે પણ ખર્ચવામાં આવે છે. અગાઉ ભારતમાંથી માલદીવ જનારા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

કેન્દ્ર સરકારે માલદીવ માટે ૨૦૨૩-૨૪ના બજેટમાં સંસોધન કરીને રકમ વધારીને રૂ. ૭૭૧ કરોડ કરી હતી. જ્યારે ફેબ્રુઆરી ૨૦૨૩માં રજૂ કરાયેલ મંજૂર રકમ ૪૦૦ કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. ભારત સરકારે વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ૧૮૩ કરોડ રૂપિયા રાખ્યા હતા.

હવે માલદીવ માટે બજેટમાં સતત વધતી જતી રકમમાં આ વખતે ઘટાડો એ ભારત સાથેના તેના સંબંધો નબળા થવાનો સંકેત આપે છે. પીએમ મોદીએ ૪ જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની તેમની મુલાકાતની તસવીરો શેર કરી હતી.

આ પછી લોકો કહેવા લાગ્યા કે, હવે ભારતીયોએ માલદીવ નહીં પણ લક્ષદ્વીપ જવું જાેઈએ. આ વિષય સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. આ દરમિયાન માલદીવની મુઈઝુ સરકારમાં મંત્રી મરિયમ શિયુનાએ કેટલીક વાંધાજનક ટ્‌વીટ કરી હતી. અહીં તેમણે પીએમ મોદીની મજાક પણ ઉડાવી હતી. આ સિવાય તે લક્ષદ્વીપની મજાક ઉડાવતા પણ જાેવા મળ્યા હતા. તેમના પછી માલદીવના નેતાઓ માલશા શરીફ અને મહજૂમ માજીદે પણ કેટલીક વાંધાજનક પોસ્ટ કરી હતી. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.