Western Times News

Gujarati News

દમણ જિલ્લા પંચાયત દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાનનો આભાર પ્રસ્તાવ રજૂ કરાયો

(તસ્વીરઃ અશોક જોષી) સંઘપ્રદેશ દમણ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાગૃતિ બહેન પટેલની આગેવાની હેઠળ અયોધ્યા શ્રી રામ મંદિરના નિર્માણના ઐતિહાસિક ભગીરથ કાર્ય અંગે વડાપ્રધાનના સન્માનમાં સર્વાનુમતે ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરાયો.જી. પં.ના પ્રમુખ જાગૃતિબહેન બેન કલ્પેશભાઈ પટેલે દમણ જિલ્લા પંચાયતની ખાસ સાધારણ સભામાં વડાપ્રધાનના સન્માનમાં આભારદર્શનનું વાંચન કરતાં નરેન્દ્ર મોદી ની સતત ત્રીજી ટર્મમાં વડાપ્રધાન પદ સંભાળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

દમણ જિલ્લા પંચાયત.ના પ્રમુખશ્રી જાગૃતિબહેન કલ્પેશભાઈ પટેલની આગેવાની હેઠળ, દમણ જિલ્લા પંચાયતે આજે સર્વાનુમતે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ ખાતેના ભવ્ય મંદિરના સ્થાપક અને પ્રાણ પ્રતિષ્ઠા કર્તા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શૌર્યપૂર્ણ કાર્યોની પ્રશંસા કરીને ‘આભાર’ વ્યક્ત કર્યો હતો.

દમણ જિલ્લા પં.ના પ્રમુખ જાગૃતિબહેન પટેલે અયોધ્યામાં ‘શ્રી રામ મંદિરના નિર્માણ અને અભિષેક’ માટે વડાપ્રધાન નરેન્દ્રમોદીના ઐતિહાસિક ભગીરથ કાર્ય માટે આભાર વ્યક્ત કરવા દમણ જિલ્લા પંચાયત બોલાવી હતી, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખે વડાપ્રધાનના ધન્યવાદ પ્રસ્તાવ’નું વાંચન કરતાં જણાવ્યું હતું કે, દેશ અને વિશ્વના કરોડો હિન્દુ સનાતની લોકો ૫૦૦ વર્ષથી અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિર જોવા ઇચ્છતા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર, દેશના બહુમતી હિંદુ સનાતનોની લાગણીઓને ધ્યાનમાં લઈને,

સુપ્રીમ કોર્ટે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસની ઝડપી સુનાવણી હાથ ધરીને વિવાદનું સમાધાન કરાવ્યું.અયોધ્યા વિવાદના સાર્વત્રિક રીતે સ્વીકૃત અદાલતી સમાધાન પછી,જન્મસ્થળ પર સૌથી ભવ્ય મંદિરના નિર્માણ માટે માર્ગ મોકળો થયો અને ૨૨ જાન્યુઆરીના રોજ, શ્રી રામલલાને વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિના અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ લગભગ અશક્ય હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.