Western Times News

Gujarati News

ભાવનગરમાં વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ થયો

ભરુચ, ગુજરાતમાં હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ દ્વારા બે દિવસ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સાબરકાંઠા જીલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે.

ત્યારે આજે અન્ય વિસ્તારોમાં પણ માવઠાનું અનુમાન કરવામાં આવ્યુ છે. જિલ્લાના વાગરા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા વધી છે. તો બીજી બાજુ લોકોએ એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ થયો છે. એક જ દિવસમાં સવારે અને રાતે સામાન્ય ઠંડી પડી હતી તો બપોરે ગરમી અને રાતે વરસાદ વરસ્યો હતો.

ભાવનગર જિલ્લાના ઘોઘા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સાબરકાંઠા જીલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. હજુ પણ ગુજરાતમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવ્યુ હતુ કે, આગામી સમયમાં ગુજરાતમાં માવઠાનો વરસાદ થવાની શક્યતાઓ ઉભી થઈ છે, જેમાં રાજ્યના ઘણાં જિલ્લા પ્રભાવિત થઈ શકે છે.

હાલ શિયાળો વિદાય લઈ રહ્યો છે, જેની સાથે ઉનાળાની શરુઆત થવાની છે પરંતુ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) પસાર થવાના કારણે માર્ચની શરુઆતમાં માવઠું થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે ગુરૂવારે રાજ્યમમાં પાંચ દિવસની આગાહી કરી હતી.

જેમા તેમણે જણાવ્યુ હતુ કે, પહેલી અને બીજી માર્ચના રોજ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. પહેલી માર્ચના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં માવઠું થશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં માવઠાની આશંકા નથી ત્યાં હવામાન શુષ્ક રહેશે.

જ્યારે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ, કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે બે માર્ચના રોજ ક્યાં ક્યાં વરસાદ પડશે તે અંગેની આગાહી કરતા જણાવ્યુ કે, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ તથા ગાંધીનગર, અમદાવાદ, મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ તથા કચ્છમાં વરસાદ રહેવાની શક્યતા છે. રામાશ્રય યાદવે કમોસમી વરસાદ પાછળનું કારણ સમજાવતા કહ્યુ કે, ઉત્તર ભારતમાં આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.