Western Times News

Gujarati News

ફિલ્મ ઈલઝામ માટે મિથુન ચક્રવર્તીનો સંપર્ક કરવામાં આવ્યો હતો

મુંબઈ, ‘જી કે બચ્ચે…તેરે જૈસે ચોર ઉચતક્કો કે પૈર તોડકર, મૈ હાથમેં દે દીયા કરતાં હૂં’, શત્રુÎન સિન્હાનો આ ડાયલોગ તમને યાદ છે? વર્ષ ૧૯૮૬માં એક ફિલ્મ રિલીઝ થઇ, જેમાં ભરપૂર ડ્રામા જોવા મળ્યો. ફિલ્મે લોકોને ખૂબ હસાવ્યા અને ક્યાંક આંખો ભીની પણ કરી.

ફિલ્મ મલ્ટીસ્ટારર હતી. ફિલ્મમાં શત્રુÎન સિન્હા, શશિ કપૂર, ગોવિંદા, નીલમ કોઠારી સાથે અનીતા રાજ જોવા મળી હતી. ફિલ્મ રિલધી થઇ અને આ ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ ગોવિંદાની કિસ્મત ચમકી ગઇ. આ ફિલ્મ માટે પ્રોડ્યુસર પહલાજ નિહલાની ૯૦ના દશકની ટોપ એક્ટ્રેસને કાસ્ટ કરવા માગતા હતાં. પરંતુ તેણે ફિલ્મ કરવાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો. નિરાશ થઇને મેકર્સે નવી હિરોઇનની શોધ કરી.

બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે એકબીજા સાથે કામ કરવા નથી માંગતા. કેટલાકે સાથે કામ કર્યું અને આ જોડી હિટ બની. અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ તે ૧૯૮૬માં રિલીઝ થઈ હતી. શત્રુÎન સિંહા-શશિ કપૂર જેવા મોટા સ્ટાર્સ તે ફિલ્મનો ભાગ હતા.

પરંતુ ત્યારબાદ એક્ટ્રેસે ફિલ્મમાં ગોવિંદા હોવાનું કહીને ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. અમે જે ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ તે વર્ષ ૧૯૮૬માં રિલીઝ થયેલી ‘ઇલઝામ’ છે. ફિલ્મમાં ગોવિંદાએ ‘અજય કુમાર’નો રોલ કર્યો હતો, પરંતુ મેકર્સે આ રોલ માટે પહેલા મિથુન ચક્રવર્તીનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેણે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. તેની પાછળનું કારણ હતું કે તેમની પાસે ડેટ્‌સ ન હતી.

જો કે, પછી મેકર્સે ગોવિંદા પર દાંવ લગાવ્યો. ખરેખર, ગોવિંદા હીરો બનવા માંગતો હતો. ઘણી ફિલ્મો માટે ઓડિશન પણ આપ્યાં, પરંતુ કંઇ મેળ પડ્યો નહીં. ત્યારબાદ જ્યારે તેને ફિલ્મ ‘ઈલ્ઝામ’ વિશે ખબર પડી તો તેણે ફિલ્મના કોરિયોગ્રાફર માટે મેકર્સનો સંપર્ક કર્યો.

જ્યારે મેં મેકર્સે પોતાનો ડાન્સ બતાવ્યો તો તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. મિથુનના ઇનકાર પછી, તે તેની ફિલ્મ માટે હીરોની શોધ કરી રહ્યાં હતાં અને તેને ગોવિંદામાં તે બધા ગુણો જોવા મળ્યા અને પહલાજ નિહલાનીએ ગોવિંદાને ફિલ્મમાં હીરો તરીકે લીધો.

આ ફિલ્મમાં બે એક્ટ્રેસીસ જોવા મળી હતી. નીલમ કોઠારી અને અનિતા રાજ, પરંતુ મેકર્સ ધક ધક ગર્લ એટલે કે માધુરી દીક્ષિતને ગોવિંદા સાથે જોડી બનાવવા માંગતા હતા. મેકર્સે નીલમ કોઠારીના રોલ માટે માધુરીને કાસ્ટ કરવા માંગતા હતા.

એક્ટ્રેસને ફિલ્મની સ્ટોરી સંભળાવી અને ફિલ્મના કલાકારો વિશે જણાવ્યું, પરંતુ ગોવિંદાનું નામ સાંભળતા જ પહલાજે નિહલાનીને કહ્યું- ‘ગોવિંદા ફિલ્મમાં છે, અરે, હું આ ફિલ્મ નહીં કરું. ’ ખરેખર, માધુરી ત્યાં સુધીમાં કેટલીક ફિલ્મો કરી ચૂકી છે, કેટલીક હિટ ફિલ્મો આપ્યા બાદ તે મેકર્સની પહેલી પસંદ બની ગઈ હતી.

આ ફિલ્મને પહલાજ નિહલાનીએ પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મ રિલીઝ થઈ અને ગોવિંદાનું નસીબ ચમકી ગયું. મેકર્સે આ ફિલ્મ લગભગ ૧ કરોડ ૪૦ લાખ રૂપિયાના બજેટમાં બનાવી છે. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેનું બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.