Western Times News

Gujarati News

૪ વર્ષથી સ્કોલરશીપના અભાવે વિદ્યાર્થિનીઓ કડિયા કામ કરવા મજબૂર !

OBC EBC DNT Scholarship

૪ વર્ષથી સ્કોલરશીપ ચૂકવવામાં આદિજાતિ વિભાગનાં ઠાગાઠૈયા-સ્કોલરશીપ ન મળતા અને પરીક્ષામાં બેસવા દીધા ન હોવાથી હાલ કેટલાક જીએનએમના વિદ્યાર્થીઓ કડિયા કામ કરવા મજબુર બન્યા છે.

દાહોદ, દાહોદ જિલ્લાની GNM નર્સિગની વિદ્યાર્થીનીઓને છેલ્લાં ૪ વર્ષથી સ્કોલરશીપ ન મળતાં છેલ્લાં ચાર વર્ષથી દાહોદથી ગાંધીનગર સુધી સ્કોલરશીપ માટે ધરમ ધક્કા ખાઈ રહેલા ૧૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓનો ભાવી અંધકારમય બની રહ્યું છે. સ્કોલરશીપ ન મળતા અને પરીક્ષામાં બેસવા દીધા ન હોવાથી હાલ કેટલાક જીએનએમના વિદ્યાર્થીઓ કડિયા કામ કરવા મજબુર બન્યા છે.

આ મામલે દોઢ વર્ષ અગાઉ તંત્રને આવેદન આપનાર આ વિદ્યાર્થીઓ સામે કોઈએ ન દેખતા આખરે વિદ્યાર્થીઓ રોષે ભરાઈ આમ આદમી પાર્ટીના નેજા હેઠળ દાહોદ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવા કલેકટર કચેરી ખાતે ભેગા થયાં હતાં. સ્કોલરશીપ મેળવવા વ્યથીત થયેલી કેટલીક વિદ્યાર્થિનીઓએ કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી. દસ દિવસમાં તેમનો નિકાલ ન થાય તો આત્મહત્યા કરવા મજબુર કરનાર સંબંધિત વિભાગોના અધિકારીના શિરે રહેશે તેમ જણાવ્યું હતું.

દાહોદ જિલ્લામાં વસવાટ કરતા ગરીબ આદિવાસી પરિવારની બાળકીઓને છેલ્લા ર૦ર૧ ના વર્ષથી સ્કોલરશીપ આપવામાં નથી આવતી તે વિદ્યાર્થિનીઓ બેગ્લુરુ ખાતે જીએનએમ ન‹સગની વિદ્યાર્થિનીઓ પોતાના ખર્ચે બેગ્લુરું ખાતે પહોચે છે પરંતુ તેમને ત્યાં પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી.

આ બાબતે આદિજાતિ વિભાગમાં રજુઆત કરતા તે વિદ્યાર્થિનીઓએ આક્ષેપ મુકી જણાવ્યું હતું કે, અમે મદદનીશ કમિશનરને મળ્યા ત્યારે તેઓએ જવાબ આપતા જણાવ્યું હતું કે અમને પુછીને તમે એડમિશન લીધું છે. તેવા જવાબો મદદનીશ કમિશનર દ્વારા અપાયા હોવાના આક્ષેપ મુકયા હતા.
આ વિદ્યાર્થિનીઓને છેલ્લા ૩ વર્ષથી સ્કોલરશીપ ન અપાતા વિદ્યાર્થિનીઓ સ્થાનિક નેતાઓનો સહારો લીધો હતો અને તેમને લઈને જિલ્લા કલેકટરને રજુઆત કરવા

આવ્યા હતા. આ બાબતે વિદ્યાર્થિનીઓએ સરકારના અધિકારીઓ ઉપર આક્ષેપો મુકી પોતાની વેદનાઓ રજૂ કરી હતી. આ સમસ્યાનો ઝડપથી નિકાલ નહી આવે તો આત્મહત્યા કરવાની તેમજ ધરણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.