Western Times News

Gujarati News

વરરાજા પુલકિત સમ્રાટે લગ્નમાં પહેરી હતી અનોખી શેરવાની

મુંબઈ, પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાની લગ્નની તસવીરો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહી છે. પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાએ ૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ ગુડગાંવમાં નજીકના દોસ્તો અને પરિવારની વચ્ચે લગ્નના બંધનમાં બંધાયા છે.

જો કે હાલમાં પુલકિત સમ્રાટની લગ્નની શેરવાની ખૂબ વાયરલ થઇ રહી છે. પુલકિતની શેરવાનીએ એક-એક લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. પુલકિત અને કૃતિનો લગ્ન લુક નહીં, પરંતુ વેડિંગ આઉટફિટ પણ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે.

એક્ટર પુલિકત સમ્રાટની શેરવાની પર ખાસ મંત્ર લખવામાં આવ્યો છે. યુનિક આઉટફિટને કારણે પુલકિત સતત ચર્ચામાં છે. કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટના વેડિંગ આઉટફિટ લોકોની વચ્ચે ચર્ચામાં બન્યો છે. કપલે કંઇક હટકે રીતે લગ્ન કર્યા છે.

કૃતિએ પિંક કલરનો લહેંગો પહેર્યો હતો જ્યારે પુલકિતે મિન્ટ ગ્રીન કલરની શેરવાની પહેરી હતી. કપલના વેડિંગ આઉટફિટ ડિઝાઇનર અનામિકા ખન્નાએ ડિઝાઇન કર્યા હતા. પુલકિત સમ્રાટની શેરવાનીએ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે.

પુલકિતે શેરવાનીમાં ગાયત્રી મહામંત્ર- ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત્ ..લખ્યુ હતુ. જ્યારે કૃતિએ લહેંગામાં પર હેવી ફ્લોરલ એમ્બ્રોડરી કરાવી હતી. આમ કહી શકાય કે પુલકિતે આ ટાઇપની શેરવાની પહેરીને આખો ટ્રેન્ડ બદલી નાખ્યો છે.

જાન્યુઆરીમાં પુલકિત અને કૃતિના એન્ગેજમેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. તેને ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે શેર કરી હતી. પુલકિતે આ ફોટોને પોતાની સ્ટોરી પર પણ શેર કરી હતી. આ તસવીરોમાં કપલના હાથમાં રિંગ જોવા મળી હતી.

પરંતુ બંનેએ આ સમાચારને ઓફિશિયલી કન્ફર્મ કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે પુલકિત સમ્રાટના આ બીજા લગ્ન છે. આ પહેલાં વર્ષ ૨૦૧૪માં શ્વેતા રોહિરા સાથે પુલકિતે લગ્ન કર્યા હતા, જેમને વર્ષ ૨૦૧૫માં તલાક લીધા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.