Western Times News

Gujarati News

મોટા માલવાહક જહાજોમાં ૧ લાખ હોર્સ પાવર સુધીના એન્જિન હોય છે

નવી દિલ્હી, કાર્ગો જહાજો વિશ્વની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. અનાજ અને તેલ જેવી વસ્તુઓ એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવામાં આવે છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે હજારો કિલોમીટરની મુસાફરી કરતા માલવાહક જહાજો દ્વારા કેટલું ઇંધણ વપરાય છે? માઇલેજ શું છે? કાર્ગો જહાજ એક કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલું ઇંધણ વાપરે છે? મોટા માલવાહક જહાજોમાં ૧ લાખ હોર્સ પાવર સુધીના એન્જિન હોય છે.

કાર્ગો જહાજની માઇલેજ અથવા ઇંધણનો વપરાશ તે જહાજના કદ અને વજન પર આધારિત છે. જહાજ જેટલું મોટું અને ભારે હશે, તેને ચલાવવા માટે વધુ ઊર્જાની જરૂર પડશે.

સરળ શબ્દોમાં કહીએ તો, નાના માલવાહક જહાજો ઓછું ઇંધણ વાપરે છે અને વધુ માઇલેજ આપે છે, જ્યારે મોટા જહાજો વધુ ઇંધણ વાપરે છે અને ઓછું માઇલેજ આપે છે. મોટાભાગના માલવાહક જહાજો મુખ્યત્વે ડીઝલ એન્જિન પર ચાલે છે અને ઘણું બળતણ વાપરે છે.

નાના અથવા મધ્યમ કદના કાર્ગો જહાજ દરરોજ ૨૦થી ૭૦ મેટ્રિક ટન (૨૦,૦૦૦–૭૦,૦૦૦ લિટર) ઇંધણ વાપરે છે. જ્યારે મોટા કદનું કાર્ગો જહાજ ૩૫૦-૪૦૦ મેટ્રિક ટન (૩૫૦૦૦૦ લિટર) ઇંધણનો વપરાશ કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, એક નાનું કાર્ગો શિપ એક દિવસમાં ૧,૦૦૦ કારમાં વાપરી શકાય તેટલું તેલ વાપરે છે.

એ જ રીતે, એક મોટું માલવાહક જહાજ એટલું ઇંઘણ વાપરે છે કે તે ૧૦,૦૦૦ કાર (૩૫ લિટરની ક્ષમતા)ની ટાંકી ભરી શકે છે. કાર્ગો જહાજોને એક કિલોમીટરનું અંતર કાપવા માટે ૨૦૦થી ૨૫૦ લિટર ઇંઘણની જરૂર પડી શકે છે.

બળતણનો વપરાશ બચાવવા માટે કેટલાક આધુનિક કાર્ગો જહાજો તેમની મુસાફરી દરમિયાન પવન ઉર્જાનો પણ ઉપયોગ કરે છે. પરંપરાગત સેઇલ અથવા માસ્ટને બદલે આવા જહાજો વિશાળ પતંગનો ઉપયોગ કરે છે, જે વહાણને આગળ વધારવામાં મદદ કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.