Western Times News

Gujarati News

અદિતિ રાવે અભિનેતા સિદ્ધાર્થ સાથે લીધા સાત ફેરા

મુંબઈ, તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે તાપસી પન્નુએ તેના વિદેશી બોયફ્રેન્ડ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે અને હવે એવી ચર્ચા છે કે અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

પરંતુ અત્યાર સુધી કપલે તેમના લગ્ન વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. અહેવાલ મુજબ, અદિતિ અને સિદ્ધાર્થે તેલંગાણાના વાનપર્થી જિલ્લાના શ્રીરંગપુરમના શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં લગ્ન કર્યા હતા.

જો કે દંપતીએ હજુ સુધી તેમના લગ્નની જાહેરાત કરી નથી, પરંતુ પોર્ટલ દાવો કરે છે કે તેઓ ટૂંક સમયમાં મિસ્ટર અને મિસિસ તરીકે પ્રથમ તસવીર શેર કરી શકે છે. ગ્રેટ આંધ્રના એક અહેવાલ મુજબ, સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ તેલંગાણાના શ્રીરંગાપુરમ જિલ્લામાં રંગનાયક સ્વામી મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા. મહાસમુદ્રમના શૂટિંગ દરમિયાન અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થનો રોમાંસ ખીલ્યો હતો.

ત્યારથી તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે ચંદીગઢમાં બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નમાં પણ હાજરી આપી હતી. આ સિવાય તેણે હૈદરાબાદમાં શરવાનંદની સગાઈમાં પણ હાજરી આપી હતી.

લાંબા સમયથી તેમના ડેટિંગની વાતો ચાલી રહી છે, પરંતુ એ બીજી વાત છે કે કપલે ક્યારેય જાહેરમાં તેમના સંબંધોની પુષ્ટિ કે ખંડન કર્યું નથી.

અદિતિ કે સિદ્ધાર્થે ક્યારેય તેમના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. હા, બંને સોશિયલ મીડિયા પર સતત એકબીજાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા રહે છે.

અગાઉ ડેટિંગની અફવાઓ વિશે વાત કરતા અદિતિએ મિડ-ડેને કહ્યું હતું કે, “હું મારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરતી હોવાથી, હું તેના પર ધ્યાન આપતી નથી. લોકો વાત કરશે અને તમે તેમને વાત કરતા રોકી નહીં શકો.

તેઓ તે કરશે જે તેમને રસપ્રદ લાગશે અને હું તે કરી રહી છું જે મને રસપ્રદ લાગે છે. વાત એ છે કે જ્યાં સુધી મારી પાસે સારું કામ છે ત્યાં સુધી મારે આ બધા પર ધ્યાન આપવાની જરૂર નથી. હું મને ગમતા નિર્દેશકો સાથે કામ કરું છું અને જ્યાં સુધી લોકો મને સ્વીકારે છે અને મને જુએ છે ત્યાં સુધી હું ખુશ છું.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.