Western Times News

Gujarati News

એલ કે અડવાણીને ભારત રત્ન આપવા અંગે INDI- Allianceએ શું પ્રતિક્રિયા આપી જાણો છો?

રાષ્ટ્રપતિએ અડવાણીને ઘરે જઈને ભારત રત્નથી સન્માનિત કર્યા

(એજન્સી)નવી દિલ્હી, ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત થયા પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અડવાણીને ઘરે જઈને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યા હતા. અડવાણી ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રહી ચૂક્યા છે અને તેમણે રામ મંદિરના આંદોલનમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તેમને ભારત રત્ન આપવામાં આવ્યો ત્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ ઉપસ્થિત હતા. ગઈકાલે જ રાષ્ટ્રપતિ ભવનમાં ચાર હસ્તિઓને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. અડવાણીને પણ ભારત રત્ન મળ્યું છે. પરંતુ તેમની તબિયત સારી ન હોવાના કારણે રાષ્ટ્રપતિ ભવન આવી શક્યા ન હતા. તેથી તેમને ઘરે જઈને સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

લાલકૃષ્ણ અડવાણી હાલમાં ૯૬ વર્ષના છે. તેમણે જૂન ૨૦૦૨ થી મે ૨૦૦૪ સુધી નાયબ વડા પ્રધાન તરીકે અને ઓક્ટોબર ૧૯૯૯ થી મે ૨૦૦૪ સુધી કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે સેવા આપી હતી.

PM tweet on X platform that : It was very special to witness the conferring of the Bharat Ratna upon Shri LK Advani Ji. This honour is a recognition of his enduring contributions to our nation’s progress. His dedication to public service and his pivotal role in shaping modern India have left an indelible mark on our history. I am proud to have got the opportunity to work with him very closely over the last several decades.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.