Western Times News

Gujarati News

રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ૧૦ હજાર ફોર્મ રિજેક્ટ

અમદાવાદ, રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્યભરમાં ગત ૧૪ માર્ચથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે, જોકે આવકના દાખલાની માથાકૂટને લઈને આ ફોર્મ ભરવાની તારીખ ૩૦ માર્ચ સુધી લંબાવવામાં આવી હતી.

અમદાવાદમાં અત્યાર સુધીમાં ૩૬ હજાર ફોર્મ ભરાયા છે, જેમાંથી ૧૦ હજાર ફોર્મ રિજેક્ટ થયા છે. ત્યારે આ રિજેક્ટ થયેલા ફોર્મને સુધારણાની તક ત્રણ દિવસ માટે આપવામાં આવી છે.

બીજી તરફ શાળા સંચાલક મંડળે રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત સીટો વધારવાની માંગ કરી છે. રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં જ ૩૬ હજારથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે.

૩૦ મી માર્ચ સુધીમાં વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી, જેમાં ૩૬૦૪૨ વાલીઓએ પોતાના બાળકોના પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભર્યા હતા.

આ ફોર્મની સ્ક્‰ટીની થયા બાદ ૨૫૮૦૦ વિદ્યાર્થીઓના ફોર્મ એપ્›વ કરવામાં આવ્યા છે, જ્યારે ૧૦,૦૬૦ વિદ્યાર્થીઓના ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓના આ ફોર્મ રિજેક્ટ થયા છે, તેમને સુધારણા કરવા માટે ૩ દિવસ આપવામા આવ્યા છે. એટલે કે વાલીઓ તેમના ખુટતા ડોક્યુમેન્ટ આગામી ૩જી એપ્રીલ સુધીમાં અપલોડ કરી ફોર્મ સુધારી શકે છે.

બીજી તરફ રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા સરકારમાં સીટો વધારવા માટે રજૂઆત કરવામાં આવી છે. શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યુ હતુ કે, ધોરણ ૧માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની ઉંમર ૬ વર્ષની કરવામાં આવતા ગત વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેને લઈને આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન ની બેઠકો ૫૦ ટકા જેટલી ઘટી છે.

જે મુજબ આ વર્ષે ૨૦૨૪-૨૫ માટે માત્ર ૪૩૮૯૬ જેટલી જ બેઠકો છે. જેની સામે ગત વર્ષે ૮૩ હજાર જેટલી બેઠકો હતી. રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશના હાલના નિયમ મુજબ ધોરણ ૧ ની વર્ગ દીઠ કુલ મંજુર જગ્યામાં ગત વર્ષે જે રાઇટ ટુ એજ્યુકેશનનો પ્રવેશ થયા હોય તેને બાદ કરતાં જેટલી બેઠકો રહે તેના ૨૫ ટકા મુજબ બીજા વર્ષે પ્રવેશ અપાય છે. આ નિયમ મુજબ હવે ૨૦૨૪-૨૫ ના વર્ષ માટે રાજ્યમાં બેઠકો ઘટતા મોટી મુશ્કેલી ઉભી થઈ છે.

ગત વર્ષે ત્રણ રાઉન્ડના અંતે ૬૧ હજારથી વધુ બાળકોના પ્રવેશ થયા હતા. આમ ગત વર્ષ મુજબ પ્રવેશની સંખ્યા જોઈએ તો આ વર્ષે ૪૩ હજાર બેઠકો સામે હજારો બાળકો પ્રવેશ વંચિત રહે તેવી સ્થિતિ જોવાઈ રહી છે.

ત્યારે શાળા સંચાલક મંડળ દ્વારા માંગ કરવામાં આવી છે કે, રાજ્યની ખાનગી શાળાઓમાં ધોરણ ૧ માટે ૬૦ વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને ૨૫ ટકા મુજબ એક વર્ગમાં ૧૫ વિદ્યાર્થીઓ ફાળવવા જોઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.