Western Times News

Gujarati News

16 સંસ્કારની સાથે બાળકોને 17મા સંસ્કાર તરીકે ટ્રાફિક નિયમો શીખવાડાશે

ટ્રાફિક પોલીસનો નવતર અભિગમઃ અમદાવાદની વિવિધ શાળાના સાત હજાર બાળકોને ખાસ તૈયાર કરાયેલી હેલ્મેટ આપીને ટ્રાફીકના પ્રશ્ન અંગે જાગૃત કરવામાં આવશે

અમદાવાદ, આપણા શાસ્ત્રમાં ૧૬ સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના થકી ઉમદા વ્યકિત બની શકાય છે. પરંતુ આવનારા સમયમાં બાળકોમાં ટ્રાફીક જેવા સંવેદનશીલ મુદાને લઈને ગંભીરતા આવે તે માટે અમદાવાદ શહેર ટ્રાફીક પોલીસ દ્વારા અમદાવાદમાં સૌ પ્રથમવાર પહેલ હાથ ધરાઈ છે. બાળકોને ૧૭માં સંસ્કાર તરીકે હેલ્મેટ આપવામાં આવ્યું હતું.

અમદાવાદની વિવિધ શાળાના સાત હજાર બાળકોને ખાસ તૈયાર કરશાઈ હેલ્મેટ આપીને ટ્રાફીકના પ્રશ્ન અંગે જાગૃત કરવામાં આવશે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી વિવિધ શાળાઓના સાત હજાર જેટલા બાળકોને હેલ્મેટ આપવામાં આવશે. જે અંતર્ગત હીરાભાઈ ટાવર રોડ પર ઈસનપુર ખાતે રોટરી કલબની સહયોગથી અમદાવાદ ટ્રાફીક પોલીસે બાળકોને હેલ્મેટ આપ્યા હતા.

આ અંગે માહિતી આપતા અમદાવાદ પુર્વના ડીસીપી ટ્રાફીક સફીન હસને કહયું કે ૧૭ સંસ્કાર તરીકે હેલ્મેટના બે મહત્વની ઉર્દેશ છે. જેમાં નાની ઉંમરથી બાળકોમાં હેલ્મેટ પહેરવાની આદત કેળવાય તેમજ બાળકોને હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહીત કરવાથી તેના માતાપીતા કે વાલીઓ પણ હેલ્મેટ પહેરવા માટે પ્રેરણા મેળવે છે.

આ પ્રોજેકટને ખુબ શરૂઆતથી સારો પ્રતીસાદ મળ્યો છે. આગામી સમયમાં મોટી સંખ્યામાં હેલ્મેટનું વિતરણ કરાશે. અમદાવાદમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેકટ છે કે જેમાં વાહનચાલકો નહી પણ તેમના બાળકોને જોડીને ટ્રાફીક અવેરનેસ વધારવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.