Western Times News

Gujarati News

ઓડિશાની મહાનદીમાં ૫૦ લોકોને લઈને જતી બોટ પલટી, એકનું મોત નિપજ્યું, ૭ લાપતા

નવી દિલ્હી, ઓડિશાના ઝારસુગુડામાં શુક્રવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. અહીં મહાનદીમાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ ૫૦ મુસાફરોને લઈ જતી બોટ પલટી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. ત્યાં સાત લોકો ગુમ છે.

રેસ્ક્યુ ટીમે ૪૮ લોકોને બચાવ્યા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે મૃતકોના પરિવારને ૪ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.એજન્સીના જણાવ્યા અનુસાર ડીજી ફાયર સુધાંશુ સારંગીએ જણાવ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે. અમારી પાસે સ્કુબા ડાઇવર્સ છે. પાણીની અંદર કેમેરા સાથે બે નિષ્ણાત સ્કુબા ડાઇવર મોકલવામાં આવ્યા છે.

બચાવકાર્ય માટે ભુવનેશ્વરથી ઝારસુગુડા પહોંચવા માટે તાત્કાલિક એક ટીમ મોકલવામાં આવી રહી છે.આ ઘટના ઝારસુગુડાના લખનપુર બ્લોક હેઠળ સારદા પાસે મહાનદીમાં બની હતી. અહીં એક બોટ બાળકો અને મહિલાઓને લઈને જઈ રહી હતી, જે કોઈ કારણસર પલટી ગઈ હતી.

આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે ૭ લોકો ગુમ છે, જેમના ઠેકાણા હજુ સુધી મળ્યા નથી, જેના કારણે તેમના પરિવારો પરેશાન છે.પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે બોટ બરગઢ જિલ્લાના બંધીપાલી વિસ્તારમાંથી મુસાફરોને લઈને જઈ રહી હતી.

જ્યારે બોટ પલટી ગઈ ત્યારે કેટલાક સ્થાનિક માછીમારો ત્યાં હાજર હતા, જેમણે હિંમત બતાવી ૪૦ થી વધુ લોકોને બચાવ્યા. રેસ્ક્યુ ટીમ હજુ પણ ગુમ થયેલા લોકોને શોધવામાં વ્યસ્ત છે. જો કે મહાનદીના જોરદાર મોજાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.