Western Times News

Gujarati News

‘વિશ્વંભરા’ ફિલ્મ માટે ભગવાન હનુમાનની વિશાળ પ્રતિમા તૈયાર કરાશે

મુંબઈ, મેગાસ્ટાર ચિરંજીવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉના ટિ્‌વટર) પર હનુમાન જયંતિની શુભેચ્છા પાઠવતા એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં હનુમાનની વિશાળ પ્રતિમાની તસવીર છે. ફોટો શેર કરતી વખતે ચિરંજીવીએ તેલુગુમાં લખ્યું, ‘બધાને હનુમાન જયંતિની શુભેચ્છા.’ ચિરંજીવીએ આગળ લખ્યું કે ભગવાન હનુમાનની બુદ્ધિ, કાર્યક્ષમતા અને બહાદુરી દરેક માટે પ્રેરણાદાયક છે.

ચિરંજીવીએ શેર કરેલી હનુમાનની મૂર્તિની તસવીરો સવારથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. રિપોટ્‌ર્સ કહે છે કે આ ૫૪ ફૂટની પ્રતિમા ચિરંજીવીની આગામી ફિલ્મ ‘વિશ્વંભરા’ માટે ખાસ બનાવવામાં આવી છે. તેનો ઉપયોગ ફિલ્મની ખૂબ જ મહત્વપૂર્ણ એક્શન સિક્વન્સ શૂટ કરવા માટે કરવામાં આવશે.

અહેવાલો સૂચવે છે કે ‘વિશ્વંભરા’ની ટીમે તાજેતરમાં જ એક સ્ટીમી એક્શન સિક્વન્સનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ એક્શન સીનનું શૂટિંગ ૨૬ દિવસમાં એક જ શેડ્યૂલમાં પૂર્ણ થયું હતું. આ એક્શન સીન્સ ફિલ્મના ઈન્ટરવલ બ્લોકમાં જોવા મળશે.

કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના આ એક્શન સીન માટે વીએફએક્સ દ્વારા એક કાલ્પનિક દુનિયા બનાવવામાં આવી હતી અને તેને પૂર્ણ કરવા માટે આ ૫૪ ફૂટની હનુમાનની પ્રતિમા બનાવવામાં આવી છે. અહેવાલો સૂચવે છે કે ‘વિશ્વંભરા’ રૂપિયા ૨૦૦ કરોડના ભવ્ય બજેટ સાથે બનાવવામાં આવી રહી છે.

આ ફિલ્મ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ મકરસંક્રાંતિના અવસર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ચિરંજીવીની સાથે ત્રિશા, સુરભી અને ઈશા ચાવલા પણ જોવા મળશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.