Western Times News

Gujarati News

પ્રાંતિજ ખાતે શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજનો ૨૭ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

૨૭ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડી બેટી વધાવવાના શપથ લીધાં –૧૫ હજાર થી પણ વધારે સમાજ ના ભાઇ- બહેનો ઉપસ્થિત રહ્યાં 

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ઉપર આવેલ જી.ઇ.બી પાસે આવેલ શ્રી ઉમાધામ સમાજ વાડી ખાતે શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજ આયોજિત ૨૭ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં ૨૭ નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતાં  .

પ્રાંતિજ નવા બાકલપુર જી.ઇ.બી પાસે તા.૩૧|૧|૨૦૨૦ ને શુક્રવાર ના રોજ શ્રી બાવનગોળ કડવા પાટીદાર સમાજ , સમૂહલગ્ન સમિતિ તથા નવદંપતિઓના માતા પિતા દ્વારા ૨૭ મો સમૂહ લગ્નોત્સવ ઉમાધામ , સમાજવાડી ખાતે યોજાયો હતો જેમાં સમુહ લગ્નોત્સવમાં ૨૭ નનદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતાં અને સાથે- સાથે દિકરી નો ગર્ભપાત નહી કરાવવાં શપથ પણ લીધાં હતાં

તો સમુહ લગ્નોત્સવ માં સમાજ માંથી પંદર હજાર થી પણ વધારે સમાજ ના ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં અને નવદંપતિ ઓને આશીર્વાદ આપ્યા હતાં તો સમગ્ર સમુહ લગ્નોત્સવ નું સફળ સંચાલન સમુહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે સમાજના પ્રમુખ , ઉપપ્રમુખ સહિત સમાજ ના પદાઅધિકારીઓ સહિત કારોબારી સભ્યો સહિત સમાજ ના અગ્રણીય પણ ઉપસ્થિત રહ્યાં હતાં તો આ પ્રસંગે પ્રાંતિજ-તલોદ તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પણ ઉપસ્થિત રહીને નવદપતી ઓને આશીર્વાદ આપ્યા હતાં .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.