Western Times News

Gujarati News

ચાંદખેડાઃ સોનીએ બિલ્ડર સાથે ૪૫ લાખની છેતરપિંડી આચરી

અમદાવાદ: સાબરમતી ડિ કેબીન વિસ્તારમાં રહેતાં એક બિલ્ડરને ધંધામાં રોકાણ કરવાનું કહી પાર્ટનરશીપ કર્યાનાં થોડાં સમયમાં જ ભાગીદારી તોડી નાંખ્યા બાદ દાગીનાનો વેપારી તેમનાં રૂપિયા ૪૪ લાખ સટ્ટામાં હારી ગયો હતો. પોતાની લેણી રકમ માટે ઘણી રાહ જાવા છતાં સોનીએ રૂપિયા પરત ન કરતાં છેવટે બિલ્ડરે ચાંદખેડા પોલીસમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે. વિજય નટુભાઈ પ્રજાપતિ કંન્સ્ટ્રક્શનનું કામ કરે છે.


તેમનાં મિત્ર ગાર્ગેશ જાનીનાં બનેવી સંજય રમણીકલાલ શાહ (ઉત્સવ રેસીડેન્સી, ચાંદખેડા) સાથે વિજયભાઈને ઓળખાણ થઈ હતી. સોના-ચાંદીનો ધંધો કરતાં સંજયભાઈને વિજયે પોતાને ધંધામાં રસ હોવાની વાત કરી હતી. જેથી સંજયભાઈએ પણ ધંધામાં સારું વળતર હોવાનું વાત કરી હતી. ત્યારબાદ વિજયભાઈ પાસેથી રૂપિયા ૪૦ લાખ મેળવી લઈ સંજયભાઈએ તેમની સાથે ધંધામાં ભાગીદારી આપી હતી.

જા કે થોડાં જ સમયમમાં સંજયભાઈએ પાર્ટનરશીપ તોડીને હિસાબનાં રૂપિયા ૪૫ લાખ આપવાનો વાયદો કર્યાે હતો.
જાકે બાદમાં રૂપિયા આપવાને બદલે સંજયભાઈ અચાનક જ ભેદી રીતે ગુમ થઇ ગયા હતાં અને થોડાં દિવસે ફરી વિજયભાઈને મળ્યા બાદ પોતે તમામ રૂપિયા સટ્ટામાં હારી ગયાનું કહ્યું હતું. અને બાદમાં રૂપિયા આપી દેશે તેમ કહ્યું હતું. પરંતુ રૂપિયા પરત ન આપતાં છેવટે વિજયભાઈએ રૂપિયા ૪૫ લાખની છેતરપિંડીની ફરીયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.