Western Times News

Gujarati News

‘ટીબી મુક્ત ભારત’ના વિઝનને સાકાર કરવામાં ગુજરાત બન્યું અગ્રેસર

સારવારમાં 92% સફળતા દર સાથે રાષ્ટ્રીય ટીબી નાબૂદી અભિયાનમાં મોખરે

_• *94% લક્ષ્ય સિદ્ધ:* નીતિ આયોગના 1.40 લાખના લક્ષ્યાંક સામે 1,31,801 ટીબી દર્દીઓની સફળતાપૂર્વક ઓળખ અને નોંધણી_

_• *₹49.10 કરોડની નાણાકીય સહાય:* 2025માં 92,921 દર્દીઓને પોષણ સહાય માટે સીધી નાણાકીય મદદ પૂરી પાડવામાં આવી_

_• *4.49 લાખ પોષણ કિટ:* 31,058 નોંધાયેલા સમુદાય સ્વયંસેવકો (નિક્ષય મિત્રો) ના મજબૂત નેટવર્ક દ્વારા દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું

_• *75.39 લાખ લોકોનું સ્ક્રીનિંગ:* સઘન ટીબી નાબૂદી અભિયાન હેઠળ મોટા પાયે પરીક્ષણ હાથ ધરવામાં આવ્યુંજેના પરિણામે 1.63 લાખ નવા કેસોને સક્રિય સારવાર હેઠળ લાવવામાં આવ્યા_

 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘ટીબી મુક્ત ભારત’ના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યએ નીતિ આયોગે ટીબીની નોંધણી અને સારવારના જે લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છેતેમાં 94% સફળતા પ્રાપ્ત કરી લીધી છે. વિશ્વ ટીબી દિવસ પર ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી આંકડા દર્શાવે છે કેરાષ્ટ્રીય ટીબી નાબૂદી અભિયાનમાં ગુજરાતની સ્થિતિ મજબૂત બની છે.

વર્ષ 2025માં નીતિ આયોગે 1,40,000 ટીબીના કેસોની ઓળખનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતોજેની સામે રાજ્યએ 1,31,801 ટીબી દર્દીઓની સફળતાપૂર્વક ઓળખ અને નોંધણી કરી છે. જે દર્દીઓની ઓળખ થઈ છે તેમાંથી 1,25,301 દર્દીઓને તાત્કાલિક સક્રિય સારવાર હેઠળ લાવવામાં આવ્યા હતા. સતત મૅડિકલ ફૉલો-અપના પરિણામે 1,21,912 દર્દીઓએ તેમની સારવાર પૂર્ણ કરીજેથી 91.74% નો ક્લિનિકલ રિકવરી દર પ્રાપ્ત થયો.

વર્ષ 2025માં 92,921 ટીબીના દર્દીઓને ₹49.10 કરોડની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી

ટીબી એવી બીમારી છેજેની સારવાર લાંબા સમય સુધી ચાલે છે. પરિણામેઆર્થિક બોજ વધી જવાના કારણે ઘણી વાર દર્દીઓ સારવાર અધવચ્ચે જ છોડી દે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વર્ષ 2025માં જ 92,921 ટીબીના દર્દીઓને ₹49.10 કરોડની નાણાકીય સહાય પૂરી પાડી છે. નિક્ષય પોષણ યોજના હેઠળદર્દીઓને દર મહિને ₹1,000ની નાણાકીય સહાય આપવામાં આવે છેજેનો મુખ્ય ઉદ્દેશ્ય સારવાર દરમિયાન તેમનું પોષણ સુનિશ્ચિત કરવાનો છે.

આ નાણાકીય સહાયને અભૂતપૂર્વ સામુદાયિક સહકારથી વધુ મજબૂતી મળી છે. વડાપ્રધાનશ્રીના ‘ટીબી મુક્ત ભારત અભિયાન’થી પ્રેરાઈનેગુજરાતે રાષ્ટ્રીય પોર્ટલ પર 31,058 નિક્ષય મિત્રો (સામુદાયિક સ્વયંસેવકો અને પ્રાયોજકો) ની નોંધણી કરાવીને આરોગ્ય સહાયને સફળતાપૂર્વક જનભાગીદારી સાથે જોડી છે. 10,682 સક્રિય સ્વયંસેવકોના પ્રયાસો દ્વારાઆ નિક્ષય મિત્રોએ દર્દીઓને 4.49 લાખથી વધુ પોષણ કિટનું વિતરણ કર્યું છેજેનાથી સમુદાય આધારિત પોષણ સહાયમાં ગુજરાત દેશનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય બન્યું છે.

પ્રોએક્ટિવ સ્ક્રીનિંગનું મહાભિયાન: 75.39 લાખ લોકોનું પરીક્ષણ, 1.63 લાખ નવા દર્દીઓની ઓળખ

ડિસેમ્બર 2024માં શરૂ કરવામાં આવેલા ભારત સરકારના ‘100-દિવસીય સઘન ટીબી નાબૂદી અભિયાન’નું નેતૃત્વ કરીનેરાજ્યએ મોટા પાયે ઘરે-ઘરે જઈને લોકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું. 20 માર્ચ 2026 સુધીમાં, 75.39 લાખ લોકોનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. આ સક્રિય અભિયાનમાં સફળતાપૂર્વક 1,63,426 નવા કેસોની ઓળખ કરવામાં આવી છે.

એટલું જ નહીંબીમારી ગંભીર રૂપ ધારણ કરે અથવા તે સમુદાયમાં ફેલાય તે પહેલાં જ દર્દીઓને રાજ્યની મજબૂત સારવાર વ્યવસ્થામાં જોડવામાં આવ્યા છે. ક્લિનિકલ કાર્યક્ષમતાઆર્થિક સુરક્ષાસમુદાયની ભાગીદારી અને સક્રિય સ્ક્રીનિંગના મજબૂત સંયોજન દ્વારા ગુજરાત માત્ર ટીબીની સારવાર નથી કરી રહ્યુંપરંતુ તેની સંપૂર્ણ નાબૂદી માટે એક ઉદાહરણરૂપ મૉડલ પણ બની રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.