Western Times News

Gujarati News

બિહારમાં 75 વર્ષ પછી પહેલીવાર કોઈ BJP મુખ્યમંત્રીએ શપથ લીધા

ભાજપે પોતાની બહુમતી અને પ્રભુત્વના જોરે પોતાના પક્ષના નેતાને મુખ્યમંત્રી પદ પર બેસાડ્યા છે.

નવી દિલ્હી,  ભાજપની રાજકીય સફરમાં એક સુવર્ણ પ્રકરણ છે. બિહારમાં પહેલીવાર કોઈ ભાજપા મુખ્યમંત્રી શપથ લીધ. સમ્રાટ શકુની ચૌધરી સવારે 11 વાગ્યે પટનાના લોકભવનમાં બિહારના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમના પિતા શકુની ચૌધરી પણ 7 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપ પહેલા ચૌધરી આર. જે.ડી. અને જે.ડી. યુ. માં હતા.

Samrat Chaudhry  took the oath as the CM of Bihar with a commitment to impartiality, dedication, and public service.

તેમની સાથે જેડીયુના ધારાસભ્ય વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ, સમ્રાટ ચૌધરીએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. જો કે શપથવિધી સમારોહમાં ભાજપના દિગ્ગજ નેતાઓ તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા ન હતા.

સમ્રાટ ચૌધરીએ બિહાર સરકારના મુખ્ય સચિવાલય ખાતે મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો છે. આ એક ઐતિહાસિક પ્રસંગ છે જે રાજ્યના વિકાસ, સુશાસન અને લોક કલ્યાણ માટેના નવા સંકલ્પોની શરૂઆત દર્શાવે છે. બિહારના મુખ્યમંત્રીનું નેતૃત્વ વિશ્વાસ અને અપેક્ષાઓના એક નવા અધ્યાયનો આરંભ કરે છે, જ્યાં દરેક નીતિ અને દરેક નિર્ણયના કેન્દ્રમાં જનતાનું હિત રહેશે.

બિહારમાં ભાજપ લાંબા સમયથી નીતીશ કુમારની જેડીયુ (JDU) સાથે ગઠબંધનમાં ‘જુનિયર પાર્ટનર’ તરીકે રહી છે. અગાઉ ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી હોવા છતાં, ગઠબંધનની મજબૂરીને કારણે મુખ્યમંત્રી પદ નીતીશ કુમાર પાસે જ રહેતું હતું. આ પહેલીવાર છે જ્યારે ભાજપે પોતાની બહુમતી અને પ્રભુત્વના જોરે પોતાના પક્ષના નેતાને મુખ્યમંત્રી પદ પર બેસાડ્યા છે.

સમ્રાટ ચૌધરીએ સવારે પંચમુખી હનુમાન મંદિરમાં પૂજા કરી હતી. શપથ ગ્રહણ સમારોહ પહેલા તેમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. નીતિશ કુમારે રાજીનામું આપ્યા બાદ સોમવારે સરકારમાં પરિવર્તન આવ્યું. તેઓ હવે રાજ્યસભાના સભ્ય છે. તેમણે 20 વર્ષ સુધી બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

સમ્રાટ ચૌધરી: એક ઉભરતું અને આક્રમક નેતૃત્વ

સમ્રાટ ચૌધરીની રાજકીય સફર ખૂબ જ રસપ્રદ છે:

  • ઝડપી પ્રગતિ: માત્ર ૯ વર્ષ પહેલાં ભાજપમાં જોડાયા હોવા છતાં, તેઓ પોતાની આક્રમક શૈલી અને સંગઠન શક્તિને કારણે ટોચ પર પહોંચ્યા છે.

  • અનુભવ: ૨૬ વર્ષની લાંબી ધારાસભ્ય તરીકેની કારકિર્દી અને ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન ડેપ્યુટી સીએમ તરીકેનો અનુભવ તેમને વહીવટી સમજ પૂરી પાડે છે.

  • સામાજિક સમીકરણ: તેઓ કુશવાહા (ઓબીસી) સમુદાયના મોટા નેતા છે, જે બિહારમાં ભાજપ માટે વોટબેંકના સમીકરણો બેસાડવામાં મહત્વના સાબિત થયા છે.

અગાઉ નીતિશ કુમારે રાજીનામું આપ્યું હતું. માત્ર નવ વર્ષ પહેલાં ભાજપમાં જોડાયેલા સમ્રાટ ચૌધરી ખૂબ જ બોલકા અને આક્રમક નેતા માનવામાં આવે છે. તેઓ 26 વર્ષ પહેલાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, 2024માં ડેપ્યુટી સીએમ બન્યા હતા અને ભાજપની જંગી જીત બાદ 2025માં ફરીથી ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.

હવે, મુખ્યમંત્રી તરીકે, તેમની સામે બિહારનું શાસન ચલાવવાની સાથે સાથે પાર્ટી અને એનડીએ ગઠબંધનને પણ સાથે રાખવાનો પડકાર રહેશે. દરમિયાન, પહેલા જન સંઘ અને પછી ભાજપ હંમેશા બિહારના રાજકારણમાં સક્રિય રહ્યા છે. ભાજપ બે વાર સૌથી મોટો પક્ષ બન્યો છે, પરંતુ નીતિશ કુમાર હંમેશા મુખ્યમંત્રી રહ્યા છે. આ પહેલી વાર છે જ્યારે ભાજપ પાસે બહુમતી બેઠકો છે અને સમ્રાટ ચૌધરીના રૂપમાં તેમને પોતાના મુખ્યમંત્રી પણ મળ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.