Western Times News

Gujarati News

વણાકપોર પાસે બે મોટરસાયકલ સામસામે અથડાતા એક ઈસમનું કરુણ મોત

અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત.

ભરૂચ: ઝઘડીયા તાલુકાના રાજપારડી થી ભાલોદ જવાના રોડ પર વણાકપોર ગામ પાસે આવેલ વળાંક પર બે મોટરસાયકલ સામસામે અથડાતાં એક ઈસમનું સારવાર દરમિયાન મોત કરુણ મોત નિપજ્યું હતુ,જ્યારે આ અકસ્માતમાં અન્ય બે ઇસમો ઈજાગ્રસ્ત થયા હતા.આ અંગે રુપસિંગભાઈ સોમાભાઈ વસાવા રહે.ગામ ઉચ્છબ તા.ઝઘડીયાનાએ રાજપારડી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ફરિયાદીના મોટાભાઈ ઝીણાભાઈ સોમાભાઈ વસાવા અને હરિપુરા ગામના છગનભાઈ નવલભાઇ વસાવા એકસલ લુના મોટરસાયકલ લઇને ભાલોદ સરકારી દવાખાને ઉંમર અંગેનો દાખલો લેવા જતા હતા

ત્યારે વણાકપોર ગામ પાસે સામેથી આવતી એક મોટરસાયકલ સાથે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની જાણ થતાં માણસો ઘટના સ્થળે પહોંચી જતા આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ ત્રણ ઇસમોને એમ્બ્યુલન્સ બોલાવી અવિધા ખાતે સારવાર માટે મોકલ્યા હતા.જ્યાં ઝીણાભાઇ વસાવાનું સારવાર દરમિયાન મોત થયું હતુ.તેમની સાથેના છગનભાઈ વસાવાને તેમજ અન્ય મોટરસાયકલ ચાલકને શરીર પર ઈજાઓ થઇ હતી.રાજપારડી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.રાજપારડી પંથકમાં વધી રહેલા અકસ્માતોને પગલે જનતા ચિંતિત બનીછે.વારંવાર થતાં અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યાછે.અકસ્માતોની વણથંભી પરંપરા ચાલુ રહેતા તાલુકાની જનતામાં ચિંતાની લાગણી ફેલાવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.