Western Times News

Gujarati News

દાહોદ જિલ્લામાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં ખરીદી કરવામાં આવશે

આગામી તા. ૩૧ માર્ચ સુધીમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

દાહોદ, દાહોદ જિલ્લામાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં ખરીદી કરવામાં આવશે. આ માટે તા. ૧૬/૦૩/૨૦૨૦ થી તા. ૩૧/૦૫/૨૦૨૦ દરમ્યાન ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમનાં સરકારી અનાજ ગોડાઉન ખાતે પ્રતિ કિવન્ટલ-૧૦૦ કિ.ગ્રા.- ઘઉં રૂ. ૧૯૨૫/- ના ભાવે કેન્દ્ર સરકારશ્રીનાં નક્કી થયેલા ધારા ધોરણ મુજબ ખરીદવામાં આવશે.

ખેડૂત ભાઇઓએ તેમનાં ચાલુ વર્ષના ૭/૧૨ તેમજ ૮/અ નાં ઉતારા તથા પાસબુકની નકલ કે કેન્સલ ચેકની નકલ સાથે ગ્રામ કક્ષાએ વી.સી.ઇ. (ગ્રામ પંચાયત કચેરી) એપીએમસી કેન્દ્ર ખાતે તા. ૦૧/૦૩/૨૦૨૦ થી તા. ૩૧/૦૩/૨૦૨૦ સુધી ખરીદીનાં ભાગરૂપે ઓનલાઇન એનરોલમેન્ટ રજીસ્ટ્રેશન કરાવવા નીચે મુજબ તાલુકાનાં ગોડાઉન મેનેજરશ્રીનોગ્રામ મેનેજરશ્રીનોગ્રામ કક્ષાએ વી.સી.ઇ. તથા એ.પી.એમ.સી. કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. ખરીદકેન્દ્રોનો સંપર્ક નંબર આ મુજબ છે. સરકારી અનાજ ગોડાઉનદાહોદ – સંપર્ક નં :-૬૩૫૯૯૪૬૦૫૩સરકારી અનાજ ગોડાઉનગરબાડા – સંપર્ક નં :-૬૩૫૯૯૪૬૧૦૧સરકારી અનાજ ગોડાઉનધાનપુર – સંપર્ક નં :- ૬૩૫૯૯૪૫૮૯૦સરકારી અનાજ ગોડાઉનદેવગઢ બારીયા – સંપર્ક નં :-૬૩૫૯૯૪૫૮૮૯સરકારી અનાજ ગોડાઉનલીમખેડા – સંપર્ક નં :- ૬૩૫૯૯૪૬૧૦૦સરકારી અનાજ ગોડાઉનઝાલોદ – સંપર્ક નં :- ૯૯૭૯૯૮૯૨૫૪, સરકારી અનાજ ગોડાઉનફતેપુરા – સંપર્ક નં :- ૬૩૫૯૯૪૬૧૦૩


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.