Western Times News

Gujarati News

બાવળાના ભોજન યજ્ઞની મુલાકાત લેતા સાંસદ શ્રી ડૉ. કિરીટ સોલંકી

અમદાવાદ જિલ્લાના બાવળામાં છેલ્લા ૩૦ દિવસથી અવિરત ચાલુ રહેલા શ્રી પ્રવીણભાઈ વાઘેલાના સેવાકીય ભોજન યજ્ઞની મુલાકાત અમદાવાદ સાંસદશ્રી ડો. કિરીટભાઈ પી સોલંકીએ લીધી હતી.


સામાજિક આગેવાન શ્રી પ્રવીણભાઈ વાઘેલાએ કોરોનાની મહામારીને લીધે ઉભી થયેલી પરીસ્થિતિને કારણે ગરીબ, દલિત અને અન્ય સમાજના લોકો માટે ૩૦ દિવસથી બાવળા ખાતે ગામના આગેવાનોની સહાયતાથી ભોજન બનાવીને વહેચણીનું કાર્ય કરી રહ્યા છે. આ માનવીય સંવેદનાસભર કાર્યને સતત સાંસદ શ્રી નું માર્ગદર્શન મળેલું છે.

30 દિવસથી સતત માર્ગદર્શન આપતા સાંસદ ડૉ.કિરીટભાઈ સોલંકીએ સ્વયમ આજ રોજ બાવળા મુકામે જઈને રસોડાની મુલાકાત લીધી હતી.અને ભોજન બનાવવામાં સહાયતા કરી હતી. ગ્રામજનોને જમવામાં દાળ ભાત અને લાડુનુ ભોજન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગ્રામજનો , વિધવા બહેનો, જરૂરિયાતમંદ લોકો અને શ્રમિક પરિવારોને કરીયાણાની રાશન કિટ, અને શાકભાજીનુ વિતરણ સાંસદ શ્રી ના હસ્તે કરવામાં આવ્યું હતું. બાવળા ગામમાં આ સેવાનો ભેખ ધારણ કરનાર શ્રી પ્રવીણભાઈ વાઘેલા અને તેમની તમામ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. (મનીષા પ્રધાન)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.