Western Times News

Gujarati News

139 વિધાર્થીઓને મનિલાથી અમદાવાદ લઇને આવેલું વિમાન અમદાવાદ આવી પહોંચ્યું

અમદાવાદ, પ્રવર્તમાન કોરોના વાયરસ ની સ્થિતિમાં અન્ય દેશોમાં અટવાયેલા ભારતીયોને  ખાસ વિમાની સેવા દ્વારા પરત લાવવાની ભારત સરકાર ની શરૂઆત રૂપે આજે વહેલી સવારે 139 વિધાર્થીઓને મનિલાથી અમદાવાદ લઇને આવેલું વિમાન અમદાવાદ આવી પહોંચ્યું છે. (તસવીરોઃ જયેશ મોદી)
હાલમાં વિદેશોથી આવેલા તમામ પ્રવાસીઓનું મેડીકલ ચેકઅપ કરવામાં આવશે ત્યારબાદ તેઓને કવોરન્ટાઈન કરવામાં આવશે. વિદેશ મંત્રાલય ભારતની બહાર અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યુ છે. વિદેશોમાં રહેતા વિદ્યાર્થીઓ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરીને ભારત આવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.