Western Times News

Gujarati News

ધનસુરાનું બજાર બે દિવસથી સદંતર બંધ

આજથી 12 તારીખ થી ધનસુરા બજાર સદંતર બંધ છે.લોકડાઉનને લઈ અને અરવલ્લી જિલ્લા માં કોરોના ના વધી રહેલા કેસો ને લઈને ધનસુરા માં તમામ દુકાનો બંધ રખાઈ છે. ખાલી દૂધ અને દવા ની દુકાન જ સવારે જ ચાલુ રાખવામાં આવી છે.ધનસુરા પી.એસ.આઈ કે.એસ. સિસોદિયા ની આગેવાની માં કરિયાણા ના વેપારી ગણ જોડે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને હાલ ની પરિસ્થતિ જોઈને ધનસુરા ના વેપારીઓ ધ્વારા સ્વયંભૂ બજાર બંધ રાખવા નો નિર્ણય લેવાયો હતો.જેમાં વેપારી ગણ અને ગ્રામપંચાયત દ્વારા સમર્થન આપવા માં આવ્યું હતું.

ધનસુરા ના આજુબાજુના ગામડાઓ માં કોરોના ના કેસ આવવાના કારણે ધનસુરા માં 12-05-2020 થી 14-05-2020 સુધી તમામ દુકાનો બંધ રહેશે આ ઉપરાંત આગળ પરિસ્થિતિ ને જોવામાં આવશે વધુ 17-05-2020 સુધી પણ બજાર બંધ રહી શકે છે.

માત્ર દૂધ અને દવાની દુકાનો જ શરુ રહેશે જેને લઈને ધનસુરા પી.એસ.આઈ કે.એસ.સિસોદિયા અને વેપારીઓ સાથે ચર્ચા કરી હતી જેમાં વેપારીઓ એ સાથે સહકાર આપવાનું જણાવ્યું હતું અને ગ્રામ પંચાયતે પણ આ વાત ને સમર્થન આપ્યું હતું.જેને લઈને ધનસુરા બજાર બે દિવસ થી સંપૂર્ણ બંધ રહ્યું હતું. (દિલીપ પુરોહિત. બાયડ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.