Western Times News

Gujarati News

શારદાબેન હોસ્પિટલમાં સિલિંગ પડી

અમદાવાદ શહેરમાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે. દર્દીઓની સંખ્યા વધી જવાના કારણે ખાનગી હોસ્પિટલ અને હોટેલ સાથે મનપા ને કરાર કરવા પડ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી. અને શારદાબેન હોસ્પિટલ ની પરિસ્થિતિ અત્યંત કફોડી છે.

આવા કપરા સમયમાં એલ.જી.ના તબીબો અને નર્સિંગ સ્ટાફ  કોરોના ની ઝપટમાં આવી ગયા હતા. જયારે શારદાબેન હોસ્પિટલ ના આઈસોલેશન વોડ માં શુક્રવારે સિલીંગ પડી હોવાની વિગતો બહાર આવી છે.સૂત્રોએ જણાવ્યા મુજબ જે રૂમ માં સિલિંગ પડી છે તેમાં સીઝનલ ફલ્યું ના ઇન્ડોર દરદી ની સારવાર કરવામાં આવે છે. આ વોડૅ ના ડોક્ટર ડો. મિતાલી બેન ને માથા ના ભાગે સખ્ત વાગ્યુછે.તે અત્યારે હાલ સારવાર લઈ રહયા છે. આ મુદ્દે હોસ્પિટલ સતાવાળા નો સંપર્ક કરવા પ્રયાસ કર્યા હતા.પરંતુ સંપર્ક થઈ શક્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.