Western Times News

Gujarati News

કાશ્મીરમાં શહીદ થયેલ ભાવનગરના સ્વ. દિલીપસિંહ ડોડિયાના પાર્થિવ દેહને અમદાવાદ લવાયો

કાશ્મીરમાં શહીદ થયેલ દિલીપસિંહ ડોડીયાનો પાર્થિવદેહને ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ સંપૂર્ણ સૈનિક સન્માન સાથે સ્વીકાર્યો હતો.

શહીદ સ્વ. દિલીપસિંહ વિક્રમસિંહ ડોડીયા ભારતીય લશ્કરમાં લાન્સનાયક તરીકે સેવારત હતા.૨૯વર્ષીય સ્વ. ડોડિયા ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપુર ગામના વતની હતા. શહીદના પાર્થિવ દેહને મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે, મેયર શ્રીમતી બિજલબેન પટેલ, ભાજપા અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, કલેકટર ડો. વિક્રાંત પાંડે અને પોલીસ અધિકારીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.