Western Times News

Gujarati News

પિતા સાથે છેલ્લી વખત સુશાંત સિંહ રાજપૂતે કરી હતી આ મુદ્દે વાતચીત

નવી દિલ્હી: બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધનને ૧૨ દિવસ થઈ ગયા છે. સુશાંતના અતાનક સુસાઈડને લઇને તેના ચાહકોથી લઇને પરિવાર અને ફિલ્મ જગત અત્યાર સુધી શોકમાં છે. આ વચ્ચે સુશાંતના પિતાનું એક ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેના પિતા કૃષ્ણ કુમાર સિંહએ સુશાંત સાથે થયેલી તેમની છેલ્લી વાતચીતનો લોકો સામે ઉલ્લેખ કર્યો છે.
સુશાંતના પિતા કૃષ્ણ કુમાર સિંહે કહ્યું કે, જ્યારે તે નાનો હતો ત્યારે તે ખુલ્લા વિચારનો હતો. પરંતુ જ્યારે મોટો થવા લાગ્યો તો ઘણો રિઝર્વ રહેવા લાગ્યો. તેમણે ખુલાસો કર્યો કે, તેમની છેલ્લી વાતચીતમાં સુશાંતે તેના પિતાને કહ્યું હતું કે, તે તેની આગામી ફિલ્મ દિલ બેચારાના રિલીઝ થવાની રાહ જાઈ રહ્યો છે અને ફેબ્રુઆરી-માર્ચમાં લગ્ન કરી લેશ.

સુશાંતના પિતાએ કહ્યું, આ અંગે વાત થઈ હતી, તેણે કહ્યું હતું કે, કોરોનામાં તો નહીં, પણ ત્યારબાદ એક ફિલ્મ આવી રહી છે. તે કર્યા બાદ ફેબ્રુઆરી-માર્ચમાં જાઈએ લગ્ન કરી લઈશ. આ લાસ્ટ વાત થઈ હતી તેની સાથે મારી. તમને જણાવી દઈએ કે, સુશાંત ફિલ્મ કાસ્ટિંગ ડાયરેક્ટરમાંથી ડાયરેક્ટર બનેલા મુકેશ છાબડાની સાથે ફિલ્મ દિલ બેચારામાં નજર આવવાનો હતો. તેમાં તેની સાથે સંજના સાંઘી લીડ એક્ટ્રેસની ભૂમિકામાં જાવા મળવાની છે. જે આગામી મહિને ૨૪ તારીખના રિલીઝ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.