Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં ભયાનક ટ્રેન અકસ્માતમાં 29 શિખ શ્રધ્ધાળુઓનું મોત

ફરૂકાબાદ, પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો, અહીં એક પેસેન્જર ટ્રેન શ્રધ્ધાળુંઓ ભરેલી એક વાન સાથે ટકરાઇ, આ ઘટનામાં લગભગ 29 લોકોનાં મોત થઇ ગયા જેમાંથી મોટાભાગનાં શિખ યાત્રિકો હતાં, જેમાં ઘણા શ્રધ્ધાળુંઓ ઘાયલ થયા છે. ઘટનાસ્થળે વહીવટી તંત્ર અને બચાવકર્મીઓએ પહોંચીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા, આ અકસ્માત બેરિયર વગરનાં ક્રોંસિંગ પર આ અકસ્માત થયો છે, વડાપ્રધાન ઇમરાન ખાને પણ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.

શેખપુરાનાં જીલ્લા પોલીસ અધિકારી ગાઝી સલાહુદ્દીને આ ઘટનાની માહિતી આપી, અકસ્માત પંજાબનાં શેખપુરાનાં ફરૂખાબાદમાં થયો છે. અહીં કરાંચીથી લાહોર જઇ રહેલી શાહ હુસૈન એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન વેન સાથે અથડાઇ, શેખપુરા જીલ્લામાં આ શિખ શ્રધ્ધાળુંઓ ગુરૂદ્વારા સચ્ચા સૌદાથી પરત ફરી રહ્યા  હતાં. આ લોકો ધાર્મિક અનુષ્ઠાન કરવા ગયા હતા.ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, વડાપ્રધાન ઇમરાન ખાને પણ ઘાયલોને તમામ મેડિકલ સુવિધા આપવાનો હુકમ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.