Western Times News

Gujarati News

કોરોનાના કાળમાં ડોમેસ્ટિક ફ્લાઈટની ઉડાન રામભરોસે

અમદાવાદ: અમદાવાદઃ કોરોના કહેરને લઈને લગભગ બે મહિના સુધી તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૫મી મેથી દેશમાં ડોમેસ્ટિક ફ્લાઈટ શ\ કરવામાં આવી છે. જો કે જ્યારથી ડોમેસ્ટિક ફ્લાઈટ શ\ કરવામાં આવી છે ત્યારથી નિયમિત રીતે મોટી સંખ્યામાં ફ્લાઈટ રદ થતાં મુસાફરો પરેશાન થઈ ગયા છે. બીજી તરફ એરલાઇન્સ કંપનીઓ દ્વારા પૂરતા પેસેન્જર નહીં મળતા ફ્લાઇટ રદ કરવી પડી રહી હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. હવે ત્રણ કલાકથી એરપોર્ટ પર બેસી રહેલા મુસાફરને ફ્લાઇટ રદ થઇ તેમ કહી દેવામાં આવતા મુસાફરો નારાજ થયા છે.

કોરોનાનું સંક્રમણ સતત વધતા બંધ કરાયેલી ડોમેસ્ટિક ફ્લાઈટ મે મહિનાની ૨૫ તારીખથી શ\ કરવામાં આવી છે. જો કે પૂરતી તૈયારી વગર જ ફ્લાઇટ શ\ કરી દેવાનો નિર્ણય ઉતાવળિયો પુરવાર થયો હતો. જે દિવસથી ડોમેસ્ટિક ફ્લાઈટ શ\ કરાઇ છે તે દિવસથી જ લગભગ ૫૦ ટકા ફ્લાઇટ રદ થઇ રહી છે. જેને લીધે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. નવી ગાઇડલાઇન મુજબ મુસાફરોએ ફ્લાઇટના ત્રણ કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી જવાનું હોય છે અને હવે ત્રણ કલાક એરપોર્ટ પર બેઠા બાદ તેમને તેમની ફ્લાઇટ રદ થયાની જાણ કરવામાં આવી રહી છે. જેને કારણે મુસાફરો એરપોર્ટ જતી વખતે જ તે ચિંતામાં હોય છે કે પોતાની ફ્લાઈટ ઉપડશે કે પછી રદ થશે ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.