Western Times News

Gujarati News

મ્યુનિસિપલ કોર્પોરેશન ને 40 દિવસ બાદ સુપર સ્પ્રેડર યાદ આવ્યા : કોરોના એન્ટીજન ટેસ્ટ થશે

ફાઈલ ફોટો

અમદાવાદ ( દેવેન્દ્ર શાહ ) અમદાવાદ શહેરમાં એક મહિના ના વિરામ બાદ વધુ એક વખત સુપર સ્પ્રેડર ની ચકાસણી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા મે મહિનામાં સુપર સ્પ્રેડરની શારીરિક તપાસ કરી સાત દિવસ માટે હેલ્થકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.જેને 40 દિવસ બાદ રીન્યુ કરવામાં આવશે જેના માટે દુકાનદારોના એન્ટીજન ટેસ્ટ પણ થશે.

  અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે ગત મે મહિનામાં કરિયાના, શાકભાજી તેમજ ડેરીના માલિકોની શારીરિક તપાસ કરી હેલ્થકાર્ડ આપવામાં આવ્યા હતા.જેની મુદત માત્ર સાત દિવસ હતી. પરંતુ અગમ્ય કારણોસર મ્યુનિસિપલ કોર્પોરેશને સાત દિવસ બાદ ફરીથી તપાસ અને કાર્ડ રીન્યુ કર્યા નહતા.

હવે , સફાળા જાગેલા તંત્રએ લગભગ 40 દિવસ બાદ સુપર સ્પ્રેડર ની તપાસ કરવા નિર્ણય કર્યો છે. જેમાં કરિયાના, શાકભાજી,ડેરી પાર્લર ઉપરાંત પાણીપુરી વિક્રેતા, પાન-તમાકુના દુકાનદારો, હેર કટિંગ સલૂન તેમજ ફરસાણના વેપારીઓની પણ આરોગ્ય તપાસ કરવામાં આવશે. તેમજ કોરોના માટે એન્ટીજન ટેસ્ટ પણ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

   અત્રે નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં કોરોના ના વધી રહેલા વ્યાપ માટે એક સમયે સુપર સ્પ્રેડરને  પણ મુખ્ય કારણ માનવામાં આવ્યું હતું.બહેરામપુરા ની એક જ ચાલીમાંથી શાકભાજીના વેપાર સાથે સંકળાયેલા 70 લોકો કોરોના ની ઝપટ માં આવ્યા હતા. ત્યારબાદ ચાંદખેડા માં ડેરી પાર્લર ના માલિક નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 800 લોકો ને ક્વોરેન્ટાઇ કરવામાં આવ્યા હતા. સુપર સ્પ્રેડર ના કારણે વધતા સંક્રમણ ને રોકવા માટે મનપા ઘ્વારા સાવચેતી ના પગલા લેવામાં આવ્યા હતા. મે મહિનામાં  33500 સુપર સ્પ્રેડરની તપાસ કરવામાં આવી હતી. જે પૈકી 12500 સુપર સ્પ્રેડર શંકાસ્પદ લાગતા કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા જેમાંથી 700 સુપર સ્ટેટસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.