Western Times News

Gujarati News

અમિતાભ બચ્ચન, રેખા બાદ હવે ઝોયા અખ્તરનો બંગલો સીલ

મુંબઈ મહારાષ્ટ્રમાં સતત વધતા કોરોનાનાં કેસને કારણે સૌ કોઈ પરેશાન છે. તેમાં પણ આ કોરોનાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ નજર બગાડી છે. એક બાદ એક ફિલ્મી હસ્તીઓનાં ઘરમાંથી ખબર આવી રહી છે. કે તેમનાં કોઈને કોઈ સંબંધીને કોરોનાનો ચેપ લાગી ગયો છે. પહેલાં રેખાનાં સિક્યોરિટી ગાર્ડ અને બાદમાં ખુદ અમિતાભ બચ્ચનને કોરોના લાગ્યો હતો. પહેલાં રેખાનો બંગલો  દ્વારા સીલ કરવામાં આવ્યો, તે બાદ અમિતાભ બચ્ચનનો જલસા બંગલો સીલ કરવામાં આવ્યો હતો.

હવે ઝોયા અખ્તરનો બંગલો સીલ કરવામાં આવ્યો છે. આ બંગલો સીલ કરવાનું કારણ છે કે, આ બંગલો રેખાનાં બંગલાની અડીને છે. તેથી મ્સ્ઝ્રએ સતર્કતાનાં ભાગ રૂપે ઝોયા અખ્તરનો બંગલો પણ સીલ કરી દીધો છે.હાલમાં ઝોયા કે તેનાં પરિવારનું કોઈ સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત નથી.

રેખાથી પહેલાં બોલિવુડનાં અન્ય સેલિબ્રિટીઝનાં સ્ટાફને કોરોના થયાની ખબર સામે આવી ગઈ છે. જેમાં આમિર ખાનનો કૂક, સારા અલિ ખાનનો ડ્રાઈવર શામેલ છે. આમિર ખાને આ વિશે ટિ્‌વટ કરીને માહિતી આપી હતી જ્યારે સારા અલી ખાને આજે જ આ વિશે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને માહિતી આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.