Western Times News

Gujarati News

‘બિલ ચૂકવી જવા વારેવારે ફોન કરતી હૉસ્પિટલે આગની ઘટના બાદ એક ફોન પણ ન કર્યો: મૃતકના પરિવારજનોનો વિલાપ

અમદાવાદ : શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં રાત્રે ભીષણ આગ લાગી હતી. આ એક કોવિડ હૉસ્પિટલ હતી. અહીં કોરોના દર્દીઓ સાજા થવા માટે આવ્યા હતા, પરંતુ કમનસિબે આગમાં તેઓએ જીવ ગુમાવ્યો. આગની ઘટનામાં હૉસ્પિટલ સમક્ષ ફાયર સેફ્ટી ન હોવાથી લઈને અનેક આક્ષેપ થઈ રહ્યા છે.

મૃતકોના પરિવારના લોકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ હૉસ્પિટલના સ્ટાફે તેમના સ્વજનોને મરવા માટે છોડી દીધા હતા. એટલું કે તેમને ફોન કરીને આગ લાગી હોવાની કે તેમના સ્વજનોની શું હાલત છે તેની પણ માહિતી આપી ન હતી. બીજી તરફ એવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે ICUનો દરવાજો ખોલવા માટે થમ્બ લોક હતું. આગ બાદ આ લોક ખુલી શક્યું ન હતું.

એક મૃતકના પરિવારજને જણાવ્યું હતું કે, “અમને પૈસા નથી જોઈતા. જે વ્યક્તિએ સુરક્ષા નથી રાખી તેને જેલભેગો કરો. આઠ લોકોનો જીવ ગયો છે. હૉસ્પિટલે કહ્યુ કે ઇન્જેક્શનન લગાવવાનું છે, ત્રણ લાખ જમા કરાવો તો આ પરિવારે પૈસા જમા કરાવ્યા છે. દર્દીનું મોત થયું છે ત્યારે હૉસ્પિટલે એક ફોન કરવાની તસદી પણ લીધી નથી.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.