Western Times News

Gujarati News

ઈરફાન ખાનના કારણે ફિલ્મ મળી : માનવ કૌલની કબૂલાત

મુંબઈ:માનવ કૌલ બોલિવુડના ધાંસૂ એક્ટર્સમાંથી એક છે. જો કે, તેણે પોતાની સફળતાનો શ્રેય દિવંગત એક્ટર ઈરફાન ખાનનો આપ્યો છે. તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ નોટ લખી છે, સાથે જ તેણે ઈરફાન ખાન સાથે પસાર કરેલો સમય અને તેમના કબરની તસવીર શેર કરી છે.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

પોતાના ફેસબુક પેજ પર નોટ શેર કરીને તે સમયને યાદ કર્યો છે જ્યારે તે પહેલીવાર મુંબઈ આવ્યો હતો અને ઈરફાનના કારણે પહેલું કામ મળ્યું હતું. આ સિવાય બંને વચ્ચે છેલ્લી મુલાકાત ક્યારે થઈ હતી તેનો ઉલ્લેખ પણ કર્યો છે. તેણે લખ્યું છે કે, ‘હું ઈરફાન ભાઈનો નંબર લઈને મુંબઈ આવ્યો હતો.

તેમના જ કારણે મને પહેલું કામ ‘બનેગી અપની બાત’માં કામ મળ્યું હતું. મારા બધા સીન તેમની સાથે હતા. દરેક વખતે સીન ખતમ થયા બાદ લાગતું કે મેં સારું કામ કર્યું છે પરંતુ જ્યારે અમે સીન જોતા ત્યારે ઈરફાન ભાઈ પરથી નજર હટતી નહોતી. બસ એટલી જ જાણ હતી કે તેમનો અભિનય અલગ હતો શરૂઆતથી જ. બાદમાં તેમને હાસિલ અને મકબૂલમાં જોયા તો પહેલીવાર ફિલ્મ જોઈ પછી બીજીવાર અને પછી ત્રીજીવાર પણ અમે બધા મિત્રો માત્ર તેમને જોવા માટે જ ગયા હતા. જ્યારે ફિલ્મ જોતા ત્યારે લાગતું કે ફિલ્મ તો એ જ છે પરંતુ ઈરફાન ભાઈ નવા છે.

હૈદરમાં જ્યારે તેઓ ‘રૂહદાર’ કહે છે તે રૂંવાડા ઉભા થઈ જાય છે. તેઓ સુનીલ જ હતા (ઈરફાન ખાનના કેરેક્ટરનું નામ) અને બાકી બધા લોકો કે જેઓ તેમની આસપાસ છે તેઓ કંઈક અલગ હોવાનો અભિનય કરી રહ્યા છે. તેમની સાથે છેલ્લી મુલાકાત સ્ક્રીન એવોર્ડ દરમિયાન થઈ હતી. એવોર્ડની ઝાકમઝોળથી દૂર હું સિગારેટ પી રહ્યો હતો.

ત્યારે તેઓ પણ સિગારેટ પીવા આવ્યા. હું તેમને ઘણુ બધુ કહેવા માગતો હતો. પણ અંતમાં હું તેમને એટલું જ કહી શક્યો કે ઈરફાન ભાઈ તમે ખૂબ સુંદર લાગી રહ્યા છો’, તેમ માનવ કૌલે લખ્યું છે. ૨ વર્ષ સુધી કેન્સર સામે લડાઈ લડ્યા બાદ આ વર્ષની ૨૯ એપ્રિલે તેઓ હારી ગયા હતા. બે દીકરા અને પત્નીને એકલા મૂકીને ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.