Western Times News

Gujarati News

રૂ. ૫૦૦ લઈ પાણીના ભૂતિયા જાેડાણ નિયમિત કરી અપાશે

ગાંધીનગર: મુખ્યમંત્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના ભુતિયા-ગેરકાયદે જોડાણો તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં માત્ર રૂ. પ૦૦ની નજીવી ફિ લઇને નિયમીત-રેગ્યુલરાઇઝડ કરી આપવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સૂચવ્યું છે. એટલું જ નહિ,

તેમણે એવો પણ અન્ય એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે કે નગરો-શહેરો-મહાનગરોમાં ખાનગી ઝૂંપડપટ્ટીઓને પાણીના જોડાણોની માંગણી થયેથી નિયમાનુસાર ધોરણે નળ જોડાણ-કનેકશન આપી દેવાશે.વિજય રૂપાણીએ રાજ્યના ૮ મહાનગરો તથા રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજીને ‘નલ સે જલ’ મિશનની કામગીરી, રોડ-રસ્તા રિપેરીંગ, કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ નાગરિક સુવિધા-સુખાકારીના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું કે કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરીની સાથે હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ડે-ટુ-ડે રોજબરોજના વહિવટી કામોનો નિકાલ તેમજ વિકાસ કામોને પણ અગ્રતા આપી સ્થિતી પૂર્વવત થવા માંડી છે તેવી જનઅનુભૂતિ નાગરિકો-શહેરીજનોને કરાવવી જોઇએ. મુખ્યમંત્રીએ કહ્યું કે સારા માર્ગો-રસ્તાઓ ગુજરાતની ઓળખ છે ત્યારે વર્ષારૂતુમાં વરસાદને કારણે રોડ-રસ્તાને જે નાનુ-મોટું નુકશાન થયું હોય તે માટે રિપેરીંગ-રિસરફેસીંગની તૈયારીઓ માસ્ટર પ્લાન સાથે કરી દેવાય અને ઊઘાડ નીકળતાં જ તે દુરસ્તી કામો હાથ ધરાય તેવી સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

આગામી દિવાળી પહેલાં આવા તમામ માર્ગો રસ્તાઓ પૂર્વવત બને તે માટેની કાર્યવાહીની પણ મુખ્યમંત્રીએ તાકિદ કરી હતી. મુખ્યમંત્રીએ નગરપાલિકા વિસ્તારોમાં સ્વચ્છતા સહિતના કામો માટે આયોજનબદ્ધ લક્ષ્યાંક નિર્ધારીત કરીને કામગીરી કરવાની રિજીયોનલ મ્યુનિસીપાલિટીઝ કમિશનરોને તાકિદ કરી હતી. મુખ્યમંત્રીએ પારદર્શી, ભ્રષ્ટાચાર રહિત અને ફેઇસ લેસ વ્યવસ્થાઓ નાગરિક કેન્દ્રીત સેવાઓ ઓનલાઇન કરીને વિકસાવવા સમયાનુકુલ કાર્યવાહીના સેટ અપ માટે પણ આ બેઠકમાં હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે સરકાર ટેકનોલોજી આધારિત વ્યવસ્થાઓ વિકસાવી ટ્રાન્સપેરન્સી અને ઝડપી ર્નિણયોથી આગળ વધી રહી છે તે સંજોગોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પણ કદમ મિલાવતી અનુરૂપ સુવિધાઓ ઊભી કરવી જોઇએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.