ભારત ૫૫ હજાર કરોડના ખર્ચે છ સબમરીન બનાવવા માટે તૈયાર
નવી દિલ્હી: ભારતીય નેવી માટે છ પારંપરિક સબમરીનના નિર્માણ માટે ૫૫,૦૦૦ કરોડ રૂપિયાના મેગા પ્રોજેક્ટની બિડિંગ પ્રોસેસ ઓક્ટોબર સુધી શરૂ થશે. ચીનની નૌસેનાની વધી રહેલી શક્તિને ધ્યાનમાં રાખતા સબમરીન ભારતની ક્ષમતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સરકારી સૂત્રોએ આ વાતની જાણકારી આપી છે. સૂત્રોએ જણાવ્યું છે કે રણનીતિક ભાગીદારી મોડલ અંતર્ગત ભારતમાં આ સબમરીનનું નિર્માણ થશે. આ અંતર્ગત ઘરેલૂ કંપનીઓને દેશમાં અત્યાધુનિક સૈન્ય ઉપકરણ નિર્માણ માટે વિદેશી રક્ષા કંપનીઓ સાથે કરનારની મંજૂરી હશે અને આયાત પર ર્નિભરતા ઘટશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રોજેક્ટ સંબંધમાં આરએફપી (રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ) જારી કરવા માટે સબમરીનની વિશેષતા અને અન્ય જરૂરી માપદંડને લઈને રક્ષા મંત્રાલય અને ભારતીય નેવીની અલગ-અલગ ટીો દ્વારા કામ પૂરુ થઈ ગયું છે. તેમણે જણાવ્યું કે ઓક્ટોબર સુધી આરએફપી જારી રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રક્ષા મંત્રાલય પ્રોજેક્ટ માટે બે ભારતીય શિપયાર્ડ અને પાંચ વિદેશી ડિફેન્સ કંપનીઓના નામોની સંક્ષિપ્ત યાદી બનાવવામાં આવી છે. તેને મેક ઈન ઈન્ડિયા અંતર્ગત સૌથી મોટો કાર્યક્રમ કહેવામાં આવી રહ્યો છે. અંતિમ યાદીમાં સામેલ ભારતીય કંપનીઓમાં એલ એન્ડ ટી ગ્રૂપ અને સરકારી મઝગાંવ ડોક લિમિટેડ (એમડીએલ) છે
જ્યારે પસંદગીની વિદેશી કંપનીઓમાં થાયસીનક્રૂપ મરીન સિસ્ટમ (જર્મની), નવાનતિયા (સ્પેન) અને નેવલ ગ્રૂપ (ફ્રાન્સ) સામેલ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શરૂઆતમાં રક્ષા મંત્રાલય એમડીએલ અને એલ એન્ડ ટીને આરએફપી જારી કરશે તથા બંને કંપનીઓ દસ્તાવેજ મળી ગયા બાદ પોતાની વિસ્તૃત ટેન્ડર રજૂ કરશે. ત્યારબાદ એલ એન્ડ ટી અને એમડીએલને પાંચ પસંદગીની કંપનીઓમાંથી એક વિદેશી ભાગીદારની પસંદગી કરવાની રહેશે. પાણીની અંદર પોતાની યુદ્ધ ક્ષમતા વધારવા માટે ભારતીય નેવીની પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવતી છ સબમરીન સહિત ૨૪ નવી સબમરીન ખરીદવાની યોજના છે. નેવી પાસે વર્તમાનમાં ૧૫ પારંપરીક સબમરીન અને બે પરમાણુ સંપન્ન સબમરીન છે. હિંદ મહાસાગર વિસ્તારમાં ચીનની વધતી હજારીને ધ્યાનમાં રાખતા નેવી પોતાની ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.