વરિષ્ઠ ખેલાડીઓ જૂનિયર્સ માટે દાખલો બેસાડેઃ જાેન્ટી
દુબઈ: આઈપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના ફિલ્ડિંગ કોચ જોન્ટી રર્હોડ્સનું માનવું છે કે, ટીમના મોહમ્મદ શમી જેવા સિનિયર ખેલાડીઓએ આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જુનિયર ખેલાડીઓ માટે દાખલો બેસાડવો જરૂરી છે. કોવિડ -૧૯ના વધતા જતા કેસોને કારણે આઇપીએલની ૧૩મી સીઝન યુએઈમાં ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર સુધી ત્રણ સ્થળો દુબઈ, અબુ ધાબી અને શારજાહમાં યોજાઈ રહી છે. કિંગ્સ ઇલેવન પંજાબના સત્તાવાર ટિ્વટર હેન્ડલ પર પોસ્ટ કરેલા વીડિયોમાં રોડ્સે કહ્યું, દ્રષ્ટિકોણથી, હું હંમેશા વરિષ્ઠ ખેલાડીઓનું નેતૃત્વ કરવા માટે નજર રાખું છું કારણ કે મયંક અગ્રવાલ, કરૂણ નાયર, દિપક હૂડા જેવા કેટલાક પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ છે જેઓ તેઓ ઘણા સારા ફિલ્ડરો છે.
તેમણે કહ્યું, પરંતુ મારી દ્રષ્ટિએ શમી જેવા ખેલાડીઓ આ ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ મોટાભાગના લોકો દ્વારા જોવામાં આવે છે અને ખાસ કરીને ભારતીય ક્રિકેટ જગતમાં તેઓનું ખૂબ સન્માન કરવામાં આવે છે. કિંગ્સ ઇલેવન પંજાબનું નેતૃત્વ ભારતના વિકેટકીપર બેટ્સમેન લોકેશ રાહુલ કરશે. રહોડ્સ પ્રથમ વખત કિંગ્સ ઇલેવન પંજાબ સાથે સંકળાયેલ છે. તે બે વર્ષ બાદ આઈપીએલમાં વાપસી કરી રહ્યો છે. આ પહેલા તે ચાર વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલ હતો.