Western Times News

Gujarati News

નડિઆદ નગરપાલિકાના સફાઇ કામદાર સંઘ દ્વારા વિવિધ માંગણીઓ ને લઈ પ્રતિક ઉપવાસ

નડિઆદ નગરપાલિકાના સફાઇ કામદાર સંઘ  આજે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા અને તેમની પડતર માંગણીઓ ને લઈ ને શાંતિભાઈ જેઠાભાઈ હરીજને જણાવ્યું હતું કે અમારી આ મુજબ ની માગણીઓ છે(૧ ) નગર પાલીકાના ટેબલ વર્કના જવાબદાર ઈન્ચાર્જ અધિકારીશ્રીઓ તરફથી સફાઈ કામદારોના હકક લાભો આપવા અર્થે તેના તરફથી રખાતી કીન્નાખોરીઓ તાકીદે બંધ કરાવવા બાબત . ( ૨ ) નડીઆદ નગર પાલીકાની સામાન્ય સભાએ ઠરાવ નં . ૧૦૬ ૬ તા . : ૨૯/૦૩/૧૯૯૬ પૈકીના મહે . નિયામકશ્રી ગુજરાત નગર પાલીકા ગાંધીનગરે નિવૃત | મૃત્યુ થયેલા સફાઈ કામદારના વારસદારના નિયમો તા . : ૨૮/૦૫/૧૯૯૮ થી મંજુર કરેલા છે .

તે પ્રમાણે અમો ઉપવાસીની નિવૃતિ બાદ અમારી ભંગી સફાઈ કામદારની ખાલી જગ્યા ઉપર મારા પુત્ર નામે જીતેન્દ્રભાઈ શાંતીલાલને વારસદાર સફાઈ કામદારમાં તાત્કાલીક નિમણુંક કરી આપવા બાબત . ( ૩ ) અમો અરજદારના નિવૃતિ બાદ નગર પાલીકામાં છઠા પગાર પંચના તફાવતના જમા નીકળતા તમામ નાણાની રકમન મને તાત્કાલીક ચુકવણ કરી આપવા બાબત . ( ૪ ) અમો અરજદારને સરકારશ્રીના ધારા ધોરણ પ્રમાણે નિવૃતિ બાદ અમોને નગર પાલીકા તરફથી છઠા પગાર પંચ પ્રમાણેની ગ્રેજયુટીની રકમ ચુકવવાની બાકી રાખેલ છે .

તે પૈકીની તમામ ગ્રેજયટીની બાકી રકમો અમોને તાત્કાલીક ચુકવણુ કરી આપવા બાબત . ( ૫ ) અમો અરજદારના નિવૃતિ બાદ નગર પાલીકાએ આજદીન સુધી અમોને છઠા પગાર પંચ પ્રમાણેના જમા પગારોની રકમનું ચુકવણુ કરેલ નથી . તે જમા રકમોનુ અમને તાત્કાલીક ચકવણુ કરી આપવા બાબત( ૬ ) અમો અરજદારની નિવૃતિ બાદ નડીઆદ નગર પાલીકાએ સરકારશ્રીના ધારા ધોરણ પ્રમાણે અમોને કોમ્યુટેડ પેન્શનની રકમનું ચુકવણુ કરવું જોઈએ . તે આજદીન સુધી કર્યું નથી . તે પૈકીના કોમ્યુટેડ પેન્શનની અમને તાત્કાલીક ચુકવણુ કરી આપવા બાબત . ( ૭ ) અમો કામદારને રહેવા માટે નગર પાલીકાની સામાન્ય સભાએ ટી . પી . સ્કીમ નં . ૪ માં સને ૨૦૧૨ માં ઠરાવ કરેલ છે . તે પ્રમાણે અમને જમીનના પ્લોટનો આજદીન સુધી કબજો નગર પાલીકાએ સુપ્રત કરેલ નથી . તે તાત્કાલીક જમીનના પ્લોટનો કબજો અમોને ફાળવી આપવા બાબત છે અને અમારી આ ૭ માગણીઓ પુુરી કરવા માંગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.