ખાડિયામાં વહેપારીનું ૩૦ લાખનું સોનુ લઈ શખ્સ ફરાર
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના ખાડિયા વિસ્તારમાં ફરી એક વખત વહેપારી સાથે છેતરપીંડીની ઘટના બહાર આવી છે જેમાં એક શખ્સ રૂા.૩૦ લાખથી વધુનું સોનુ લઈને ફરાર થઈ ગયો છે.
આ અંગેની વિગત એવી છે કે નિર્મળભાઈ ખુંટિયા (સેટેલાઈટ) ઘાંચીની પોળ રાયપુર ખાતે સોના-ચાંદીના દાગીના બનાવવાની દુકાન ધરાવે છે જેમને ત્યાં મેનેજર તરીકે સુબ્રતાસાંમતા છેલ્લા એક વર્ષથી નોકરી કરતા હતા જેમણે નિર્મળભાઈનો વિશ્વાસ જીતીને જુદા જુદા વહેપારીઓ પાસેથી દાગીના બનાવવા માટે આવેલું કુલ રૂા.૩૦.રપ લાખનું સોનુ લઈને ફરાર થઈ ગયો છે. આ ઘટનાની જાણ થતાં તેમણે ખાડિયા પોલીસ સ્ટેશનમાં સુબ્રતાસાંમતા વિરૂધ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે.