અભિનેત્રી સુરેખા સીકરી બ્રેન સ્ટ્રોકનો શિકાર બની
મુંબઈ: બાલિકા વધૂ, પરદેસ મેં હૈ મારા દિલ, એક થા રાજા એક થી રાની જેવા ટીવી શો સિવાય કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેત્રી સુરેખા સિકરી મંગળવારે એટલે કે આજે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ તેમની સ્થિતિ વધારે લથડી અને તેમને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. મુંબઈના યારી રોડ સ્થિત ઘરમાં રહેતા સુરેખાને ક્રિટી કેયર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે,
જ્યાં તેમના જરૂરી ટેસ્ટ અને ચેકઅપ કરવામાં આવી રહ્યા છે. સુરેખા સિકરી અગાઉ પણ નવેમ્બર ૨૦૧૮માં બ્રેન સ્ટ્રોકનો શિકાર બન્યા હતા, જેના કારણે તેઓ પેરાલાઈઝ્ડ થઈ ગયા હતા. શૂટિંગ દરમિયાન પણ તેઓ પડી ગયા હતા. જો કે, બાદમાં તેઓ ધીમે-ધીમે ઠીક થઈ રહ્યા હતા. તેમની દેખરેખ માટે તેમની સાથે ઘર પર એક નર્સ પણ છે.
નર્સે જણાવ્યું કે, સવારે ૧૧ વાગ્યે તેઓ ઘરે જ્યૂસ પી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને બ્રેન સ્ટ્રોક થયો. બાદમાં તે તરત જ તેમને લઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી. નર્સે તેમ પણ કહ્યું કે, એક્ટ્રેસ પાસે એટલા પૈસા પણ નહોતા કે તે તેમને અન્ય હોસ્પિટલે લઈ જઈ શકે. નર્સે સુરેખાને આર્થિક મદદ કરવા માટે પણ તેમના ફેન્સને અપીલ કરી હતી. સુરેખા સીકરીએ તમસ, બધાઈ હો, નઝર, સલીમ લંગડે પે મત રો, જુબૈદા, કલી સલવાર, રેનકોટ, હમકો દીવાના કર ગયે અને શીર કોરમા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, અને તેઓ ત્રણ વખત નેશનલ એવોર્ડ્સ પણ જીતી ચૂક્યા છે.