Western Times News

Gujarati News

ગાઝિયાબાદમાં ભાજપ ધારાસભ્યના મામાની ગોળી મારી હત્યા

ગાઝિયાબાદ, દેશના પાટનગર દિલ્હીથી જાેડાયેલ ગાઝિયાબાદ જીલ્લાના સિહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના લોહિયા નગરમાં વહેલી સવારે વોક દરમિયાન ભાજપના ઘારાસભ્ય અજીત પાલ ત્યાગીના મામા નરેશ ત્યાગી ઉ.વ ૬૦ને સ્કુટી સવાર બદમાશોએ ગોળી મારી હત્યા કરી દીધી.

ઘટના બાદ બદમાશો સરળતાથી ફરાર થઇ ગયા માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી બેરિકેડિંગ કરી તપાસ શરૂ કરી એસએસપીએ ઘટનાના ખુલાસા માટે ચાર ટીમની રચના કરી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર નરેશ ત્યાગી ઠેકેદાર હતાં તે પીડબ્લ્યુડી અને આરઇઇસ વિભાગ વગેરેમાં ઠેકેદારી કરતા હતાં. સવારે લગભગ ૫.૩૦ કલાકે તે જદયુ મહામંત્રી કે સી ત્યાગીના નિવાસની સામે બનેલ પાર્કમાં ફરવા જઇ રહ્યાં હતાં.

આ દરમિયાન સ્કુટી સવાર બદમાશોએ તેમને જાેઇ લીધા અને આડેધડ ગોળીબાર કર્યા જીવ બચાવવા માટે નરેશ ત્યાગી લગભગ ૭૦ મીટર સુધી ભાગ્યા પરંતુ જમીન પર પડી ગયા અને ત્યારબાદ શૂટર્સે તેમના માથા પર બે ગોળી મારી જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નિપજયું નરેશ ત્યાગી મૂળ રીતે મુરાદનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સારા ગામના રહેવાસી હતાં. આ ઘટનાની જાણ થતાં જ એસએસપી કલાનિધિ નૈથાની અને અન્ય પોલીસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.
નૈથાનીનું કહેવુ છે કે સ્કુટી સવાર બે બદમાશોએ ગોળી મારી નરેશ ત્યાગીની હત્યા કરી છે મામલાની તપાસ માટે ચાર ટીમોની રચના કરવામાં આવી છે. ઘટનાનો તાકિદે ખુલાસો કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.