Western Times News

Gujarati News

જાેધપુરમાં ફેકટરીની દિવાલ તુટી પડતાં આઠના મોત

જાેધપુર, રાજસ્થાનના જાેધપુરમાં એક નિર્માણાધીન ફેકટરી મોટી દુર્ધટના ઘટી હોવાનું સામે આવ્યું છે જેમાં દિવાલ ધરાશાયી થવાના કારણે આઠ લોકોના મોત થયા છે આ ઘટના બાદ રેસ્કયુ કરવામાં આવી રહ્યું છે કેટલાક લોકો કાટમાળમાં દબાયા હોવાનું જણાવાય છે.તંત્રે સાત લોકોના મૃત્યુ થયા હોવાનો પુષ્ટી કરી છે.

આ દુર્ધટના જોધપુરના બાસાની પોલીસ ચોકી ક્ષેત્રમાં થયો જયાં એક નિર્માણાધીન ફેકટરીમાં દિવાલ ધરાશાયી થઇ બાસાની પોલીસ ચોકીની નજીક રામદેવ મંદિરની પાસે ફેકટરીમાં નિર્માણાધીન દિવાલ અચાનક ધરાશાયી થઇ હતી અને તેની નીચે અંદાજ ૧૦થી ૧૨ લોકો દટાયાં હતાં.હાલ રાહત બચાવની કામગીરી શરૂ કરાઇ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.