Western Times News

Gujarati News

બાયોગેસના કૂવામાં સફાઈ માટે ઉતરેલી ૨ વ્યક્તિનાં મોત

બનાસકાંઠા, બનાસકાંઠાના મોટા જામપુર ગામે ખેતરમાં રવિવારે રાતે બાયોગેસના કુવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિનું ગૂંગળામણથી કરૂણ મોત નિપજયું હતું. આ ઉપરાંત અન્ય ચાર લોકો અસરગ્રસ્ત થતાં સારવાર અર્થે રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતા શિહોરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. કાંકરેજ તાલુકાના મોટા જામપુર ગામ ખાતે ગઇકાલે રાતે, બાયોગેસના કૂવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા ખેતર માલિકના પુત્ર અને ભાગીદારનું કરુણ મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે.

મોટા જામપુર ખાતે રગનાથભાઇ ચૌધરીએ તેમના ખેતરમાં બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો છે. તેમનો પુત્ર આનંદ ચૌધરી આ બાયોગેસના કુવામાં ગત મોડીરાત્રે સફાઈ માટે ઉતાર્યો હતો. તે સમયે ગેસ ગળતર થતાં ગૂંગળામણના કારણે તેનું કૂવામાં જ મોત નીપજ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.