Western Times News

Gujarati News

ગુમ હૈ કિસી કે પ્યાર મેંના સેટ પર આયશાને ઈજા થઈ

મુંબઈ: થોડા દિવસ પહેલા સીરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંની એક્ટ્રેસ આયશા સિંહને સેટ પર ઈજા થઈ હતી. આયશાને ઘૂંટણ પર વાગ્યું હતું. ત્યારે બે દિવસ આરામ કર્યા પછી આયશા સેટ પર પરત ફરી છે. “આ શિડ્યુલ ખૂબ મહત્વનું હોવાથી મારે સેટ પર પાછું આવવું જ પડ્યું, તેમ આયશાએ જણાવ્યું. આયશાએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઘૂંટણ પર થયેલી ઈજાનો વિડીયો શેર કર્યો હતો. જે બાદ ફેન્સ તરફથી જલદી સાજા થવાની પ્રાર્થના કરવામાં આવી હતી. ‘સઈ’નો રોલ કરતી આયશાએ કહ્યું, “મને જે પ્રેમ અને શુભેચ્છાઓ મળી છે તેના માટે આભારી છું.

હું ઝડપથી રિકવર થઈ રહી છું અને શૂટિંગ શરૂ કર્યું છે. હું સેટ પર લપસી પડી હતી અને મારા ઘૂંટણ પર ઈજા થઈ હતી. મેં ડૉક્ટરને બતાવ્યું હતું અને તેમણે થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી હતી. મારા પ્રોડ્યુસરે પણ મને આરામ કરવાનું કહ્યું હતું. બે દિવસ આરામ કર્યા પછી મને લાગ્યું કે હવે મારે ફરી સેટ પર જઈને કામ શરૂ કરવું જાેઈએ.

હવે હું લગભગ રિકવર થઈ ગઈ છું. આટલા ઓછા સમયમાં આયશાને જે લોકપ્રિયતા અને પ્રેમ મળ્યો છે તેનાથી તે અત્યંત ખુશ છે. તેણે કહ્યું, આમ તો હું ફેન ફોલોઈંગને મારા કામનું પ્રમાણ ગણાવતી નથી પરંતુ જ્યારે મારી મહેનતનું વળતર મને મળે છે ત્યારે અત્યંત આનંદ થાય છે. એવા ઘણાં લોકો છે જેમને આપણે ઓળખીએ છીએ અને તેમને તેમની મહેનતું પૂરું વળતર મળતું નથી. આ ઈન્ડસ્ટ્રી ખૂબ ટૂંકા સમયમાં મને જે પ્રેમ અને પ્રશંસા મળી રહી છે તેના માટે હું ખૂબ ખૂબ ખુશ છું.

એક્ટ્રેસ બનવા માટે આગ્રાથી મુંબઈ આવનારી આયશા સિંહના માતાપિતા એક્ટર બનવાના તેના ર્નિણયથી શરૂઆતમાં નાખુશ હતા પરંતુ હવે તેઓ માની ગયા છે. આયશાના માતાપિતાની ઈચ્છા તેને વકીલ બનાવાની હતી. “હજી પણ ઘણીવાર જ્યારે મારા મમ્મી-પપ્પા મને ઘડિયાળના કાંટા મુજબ કામ કરતી અને પૂરતો આરામ ન કરતાં જાેવે છે ત્યારે કહે છે, ‘બેંકમાં નોકરી કરી લેતી કે વકીલ બની હોત તો આટલી મહેનત ના કરવી પડતી હોત.’ પરંતુ મને લાગે છે કે હવે તેઓ સમજે છે કે મને એક્ટિંગ ગમે છે અને હું આ જ કરવા માગુ છું”, તેમ આયશાએ કહ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.