ક્વેટામાં ટ્રેન પર થયેલા બોમ્બ હુમલામાં સંડોવાયેલા ૧૭ આતંકવાદીઓને પાક. સુરક્ષા દળોએ ઠાર માર્યા
ભીષણ ગોળીબારમાં ફિત્ના-અલ-હિન્દોસ્તાન સાથે જોડાયેલા ૧૭ આતંકવાદીઓ માર્યા ગયા.
કરાચી, પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતના ક્વેટા શહેરમાં શટલ ટ્રેન પર ગયા અઠવાડિયે થયેલા બોમ્બ હુમલામાં સંડોવાયેલા ૧૭ આતંકવાદીઓને પાકિસ્તાની સુરક્ષા દળોએ ઠાર માર્યા છે.
૨૪ મેના રોજ ક્વેટામાં એક સ્ટેશન નજીક શટલ ટ્રેન પર થયેલા શંકાસ્પદ આત્મઘાતી હુમલામાં ત્રણ સુરક્ષા કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા ૧૬ લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાની સૈન્યના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) અનુસાર, આ ઘટના બાદ, સુરક્ષા દળોએ બલુચિસ્તાનના વિવિધ જિલ્લાઓમાં અનેક ગુપ્તચર-આધારિત કામગીરી (IBO) હાથ ધરી હતી, જેમાં ૧૭ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
Pakistan Security forces killed 17 BLA terrorist in multiple intelligence-based operations across Balochistan and recovered a large cache of weapons, ammunition, explosives, and IEDs. Following the Chaman Phatak attack, operations have been intensified, while clearance activities continue under Operation Azm-e-Istehkam.
ISPR ના એક નિવેદન મુજબ, સુરક્ષા દળોએ મસ્તુંગ, નુશ્કી, ઝેહરી, ખુઝદાર અને કેચમાં કાર્યવાહી દરમિયાન અનેક આતંકવાદી ઠેકાણાઓને અસરકારક રીતે નિશાન બનાવ્યા. તેમાં કહેવામાં આવ્યું છે કે ભીષણ ગોળીબારમાં ફિત્ના-અલ-હિન્દોસ્તાન સાથે જોડાયેલા ૧૭ આતંકવાદીઓ માર્યા ગયા. ISPR એ એ પણ અહેવાલ આપ્યો છે કે સુરક્ષા દળોએ આતંકવાદીઓ પાસેથી શષો, દારૂગોળો, મોટી માત્રામાં વિસ્ફોટકો અને ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો (IED) જપ્ત કર્યા છે.
માર્યા ગયેલા આતંકવાદીઓ આ પ્રદેશમાં અસંખ્ય આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં બાકી રહેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે શોધ કામગીરી ચાલુ છે.
મે ૨૦૨૬ ના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં આતંકવાદી હુમલાઓમાં ટ્રેનો અને રેલ્વે માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા. ક્વેટામાં ચમન ગેટ નજીક એક લશ્કરી ટ્રેન અને પેશાવર જતી જાફર એક્સપ્રેસને શક્તિશાળી વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવી હતી. આ હુમલાઓમાં ઘણા સુરક્ષા કર્મચારીઓ અને મુસાફરો માર્યા ગયા હતા, અને બલૂચ લિબરેશન આર્મી (BLA) એ હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી.
આત્મઘાતી અને IED વિસ્ફોટોમાં ટ્રેનના એન્જિન અને અનેક કોચને ભારે નુકસાન થયું હતું, અને ડઝનબંધ લોકો માર્યા ગયા હતા. હુમલા બાદ, પાકિસ્તાની સુરક્ષા દળોએ બલુચિસ્તાનના વિવિધ જિલ્લાઓમાં મોટા પાયે આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરીને પ્રતિક્રિયા આપી હતી.
વધુમાં, રેલ્વે અધિકારીઓએ સાવચેતીનાં પગલાં લીધાં છે, જેમાં મુસાફરોની સલામતી સુનિヘતિ કરવા માટે ટ્રેન ટ્રાફિકને અસ્થાયી રૂપે બંધ કરવાનો અથવા ટ્રેનોને ડાયવર્ટ કરવાનો સમાવેશ થાય છે.
