Western Times News

Gujarati News

અભિનેતા અપૂર્વ અગ્નિહોત્રીએ અનુપમા માટે શૂટિંગ શરૂ કર્યું

મુંબઈ: એક્ટર અપૂર્વ અગ્નિહોત્રી ટૂંક સમયમાં ટીવીના નંબર ૧ શો ‘અનુપમા’માં જાેવા મળવાનો છે. સુધાંશુ પાંડે કે જે સીરિયલમાં વનરાજનો રોલ પ્લે કરી રહ્યો છે તેણે સેટ પરથી અપૂર્વ સાથેની એક તસવીર શેર કરી છે. તસવીરમાં સુધાંશુ પાંડે અને અપૂર્વ અગ્નિહોત્રી બંને વાદળી આઉટફિટમાં જાેવા મળી રહ્યા છે. સુધાંશુ પાંડેએ બ્લૂ ટી-શર્ટ અને ડેનિમ પહેર્યું છે જ્યારે અપૂર્વએ પેન્ટ, વ્હાઈટ ટી-શર્ટ અને ડેનિમ જેકેટ પહેર્યું છે. તસવીરની સાથે તેણે લખ્યું છે કે, તમે જાણો છો કે, જ્યારે તમે કપરા સમયમાં કામ કરી રહ્યા હો ત્યારે ભગવાનને તે ગમે છે. અને સૌથી સારી વાત એ હોય છે

જ્યારે તમે તમારા ડિયર ફ્રેન્ડ સાથે કામ કરી રહ્યા હો, જે પોતે પણ એક દયાળુ માણસ હોય. જય મહાકાલ’. ઉલ્લેખનીય છે કે, સુધાંશુ પાંડે અને અપૂર્વ અગ્નિહોત્રી સારા મિત્રો છે. રિપોર્ટ્‌સ એવા હતા કે, અપૂર્વ અનુપમાના લવ ઈન્ટરેસ્ટ તરીકે જાેવા મળશે. જાે કે, મારું પાત્ર અનુપમા અને શાહ પરિવારના જીવનમાં રસપ્રદ ટિ્‌વસ્ટ અને ટર્ન્સ લાવશે. મેં આ રોલ એટલા માટે સ્વીકાર્યો કારણ કે તે અલગ છે. મારા પાત્રમાં ઘણા બધા લેયર્સ છે. પાત્રની પર્સનાલિટીમાં તેવા શેડ્‌સ છે જેનાથી શોને પ્રોગ્રેસ મળશે.

આ શોથી હું ત્રણ વર્ષના સમયગાળા બાદ ટીવી પર પાછો આવી રહ્યો છું. અનુપમાની ઓફર મને મળી તો તેને નકારવાનું ઉચિત લાગ્યું નહી, કારણ કે રાજન શાહી ઈન્ડસ્ટ્રીના ટોપ પ્રોડ્યૂસરમાંથી એક છે. તેથી ના કહેવાનું તો કોઈ કારણ જ નહોતું. અનુપમા સીરિયલના લેટેસ્ટ ટ્રેકની વાત કરીએ તો, ડિવોર્સનો ભાર સહન ન થતાં વનરાજ ઘર છોડીને જતો રહ્યો છે. તે ક્યાં ગયો છે તે કોઈને ખબર નથી. તે માત્ર એક પત્ર મૂકીને ગયો છે. જેમાં તેણે અનુપમાને સંબોધીને લખ્યું હતું કે, હું ડિવોર્સનું દબાણ વધારે સહન કરી શકું તેમ નથી. તેથી, હું ઘર છોડીને જઈ રહ્યો છું’. વનરાજ ઘર છોડીને જતાં રહેતા અનુપમા બેબાકળી થઈ જાય છે, તો કાવ્યાની સ્થિતિ પણ કંઈક આવી જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.