લખનૌના દિગ્ગામાંથી બે શંકાસ્પદ આતંકીઓ જબ્બે
લખનૌ, યુપી એટીએસની એક ટીમે લખનૌના દુગ્ગા વિસ્તારમાં ત્રાટકીને બે શંકાસ્પદ આતંકીઓને દબોચી લીધા છે.તેમના તાર અલ કાયદા સાથે જાેડાયેલા હોવાનુ મનાઈ રહ્યુ છે. UP ATS busts Al-Qaeda affiliate terrorist group’s module in Lucknow
PC by ADG L&O UP and IG ATS.#UPPolice https://t.co/hIrDIShsTd
— UP POLICE (@Uppolice) July 11, 2021
એટીએસની ટીમે આ વિસ્તારમાં આવેલા એક મકાનને ચારે તરફથી કોર્ડન કરી લીધુ ત્યારે અહીંયા હડકંપ મચી ગયો હતો.એટીએસને આ વિસ્તારમાં આવેલા ફરીદી નગરમાં કેટલાક શંકાસ્પદ લોકો છુપાયા હોવાની બાતમી મળી હતી.એ પછી લખનૌ પોલીસ અને એટીએસની ટીમ અહીંયા પહોંચી હતી અને એક મકાનની આસપાસ ઘેરો નાંખ્યો હતો.
અહીંથી બે વ્યક્તિઓને અટકાતમાં લેવાયા છે અને તેઓ અલ કાયદાના આતંકીઓ હોવાનુ કહેવાઈ રહ્યુ છે.તેમને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બોર્ડર પરથી સૂચનાઓ આપવામાં આવતી હોવાનુ પણ મનાય છે. જે ઘરમાંથી આતંકીઓ પકડાયા છે તેને નજરકેદ કરી લેવાયુ છે.તેમાં રહેનારા બીજા લોકો સાથે પૂછપરછ ચાલી રહી છે.ઘરની ચારે તરફથી ઘેરાબંધી કરાઈ છે.આસપાસના વિસ્તારના રસ્તા બંધ કરી દેવાયા છે.જેથી કોઈ અવર જવર થઈ શકે નહીં.
આસપાસના મકાનો પણ ખાલી કરાવી દેવાયા છે.આ મકાન શાહિદ નામના યુવકનુ છે અને પંદર વર્ષ પહેલા તેણે આ મકાન ખરીદયુ હતુ.અહીંયા કેટલાક દિવસથી શંકાસ્પદ હિલચાલ જાેવા મળી રહી હતી. એટીએસ કમાન્ડોની સાથે સાથે બોમ્બ સ્કવોડ પણ સ્થળ પર મોજૂદ છે.આતંકીઓ પાસેથી પ્રેશર કૂકર બોમ્બ અને બીજા હથિયારો મળ્યા હોવાનુ પણ કહેવાઈ રહ્યુ છે.