ગુજરાતમાં ર કરોડ ૪૮ લાખ પ૬ હજાર લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો

પ્રતિકાત્મક
*ગુજરાતમાં કોરોના રસીકરણની પાત્રતા ધરાવતા ૪ કરોડ ૯૩ લાખ ર૦ હજાર લોકોમાંથી ૫૦ ટકા એટલે કે ર કરોડ ૪૮ લાખ પ૬ હજાર લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો*
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના આરોગ્ય તંત્રના સૌ સેવા કર્મીઓની કર્તવ્ય ભાવનાને બિરદાવી અભિનંદન પાઠવ્યા*
*રાજ્યમાં કોરોના વેક્સિનેશનના ત્રણ કરોડ છવ્વીસ લાખ ડોઝ અપાયા*
રાજ્યમાં ૨૯મી જુલાઇએ ૪ લાખ ૩૯ હજાર ૦૪૫ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું
કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઉપાય એવી કોરોના વેકસીનેશનની રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે તા. ૨૯મી જુલાઇ-ર૦ર૧ સુધીમાં રાજ્યમાં ૫૦ ટકા લોકોને વેકસીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે.
ગુજરાતમાં ૧૮ વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ ૪,૯૩,૨૦,૯૦૩ લોકોમાંથી ૫૦ ટકા એટલે કે ૨ કરોડ ૪૮ લાખ ૫૬ હજાર ૮૪૨ લોકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. એટલું જ નહિ, ૭૭ લાખ ૫૭ હજાર ૬૧૯ લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના વેકસીનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે હાથ ધરાઇ રહેલી સઘન વેકસીનેશન ઝૂંબેશમાં સક્રિયતાથી કર્તવ્યરત રહીને આ સિદ્ધિ મેળવવા માટે આરોગ્ય તંત્રના સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે.
સમગ્રતયા રાજ્યમાં તા. ૨૯મી જૂલાઇના દિવસે ૪ લાખ ૩૯ હજાર ૦૪૫ લોકોને કોરોના રસીથી સાંકળી લેવામાં આવ્યા છે.
આમ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ કોરોના વેકસીનેશન આપવા માટે આદરેલી ઝૂંબેશના પરિણામે તા. ૨૯મી જુલાઇ સુધીમાં 3 કરોડ ૨૬ લાખ ૧૪ હજાર ૪૬૧ ડોઝ આપવામાં આવ્યાં છે.
ગુજરાતમાં તા.૨૯મી જુલાઇ સુધીમાં જે ૨ કરોડ ૪૮ લાખ ૫૬ હજાર ૮૪૨ લોકોને પ્રથમ ડોઝ અપાયો છે તેમાં ૧૯,૬૬,૫૦૬ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર, ૪પથી વધુ વયના ૧,૨૦,૭૧,૯૦૨ તેમજ ૧૮ થી ૪૪ વયજૂથના ૧,૦૮,૧૮,૪૩૪ લોકોનો સમાવેશ થાય છે.