બિહારમાં કટિહારનાં મેયર શિવરાજ પાસવાનની જાહેરમાં હત્યા કરાઇ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/advt-western-2021b-1024x696.jpg)
પટણા: બિહારના પટનામાં કટિહાર નગર નિગમના મેયર શિવા પાસવાનની ગત રોજ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ સંતોષી ચોક પાસે સાંજના સમયે આવીને આ હત્યાને અંજામ આપ્યો છે. સરાજાહેર મેયરની હત્યાને કારણે અહીયાના લોકોમાં હાલ ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સાથેજ આ ઘટનાને લઈને લોકોમાં રોષ પણ ફેલાયેલો છે.
મેયર શિવા પાસવાનને જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે આરોપીઓએ તેમની છાતીમાં ત્રણ ગોળી મારી હતી. બાદમાં તેઓ ત્યાથી ફરાર થઈ ગયા. જાેકે ઘટનાને લઈને તેમને તુંરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ ત્યા સુધીમાં તેમણે શ્વાસ છોડી દીધા હતા.
આ બનાવને લઈને બિહાર પોલીસ પણ દોડતી થઈ ગઈ છે અને આરોપીઓની શોધી રહી છે. પોલીસનું એવું કહ્યું છે કે જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. તે લોકોને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે.
સમગ્ર મામલે એલજેપી સાંસદ ચિરાગ પાસવાને ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું. સાથેજ આરોપીઓ સામે કડક પગલા લેવામાં આવે તેવી તેમણે માગ કરી છે. ટ્વીટ કરીને તેમણે કહ્યું કે શિવરાજ પાશવાનની હત્યાના સામાચાર સાંભળ્યા બાદ હુ આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. વધુંમાં તેમણે એવું પણ કહ્યું કે ગત ૧૭ જુલાઈએ આશીર્વાદ યાત્રા સમયે તેમની સાથે મુલકાત થઈ હતી.
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ચિરાગ પાસવાને શિવરાજ પાસવાન વીશે કહ્યું કે તેઓ ખૂબ સરળ સ્વભાવના વ્યક્તિ હતા. ભગવાન તેમની આત્માને શાતિ આપે તેવી મારી પ્રાર્થના છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે દુખના સમયમાં હુ તેમના પરિવાર સાથે ઉભો છુ. ઉપરાંત તેમણે તંત્રને માગ કરી છે કે હત્યારાઓને કડકમાં કડક સજા આપવામાં આવે.