Western Times News

Gujarati News

૧૦,૦૭૮ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થયાઃ ૮,૧૪,૮૫૮ દર્દીએ કોરોનાને મ્હાત આપી

છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોનાના ૧૭ કેસ આવ્યા

ગાંધીનગર,  રાજ્યમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર ૧૭ કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ ૨૮ દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં ૮,૧૪,૮૫૮ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ ઝડપથી સુધરી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૭૬ પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૬,૩૩,૭૮૯ દર્દીઓનું રસીકરણ થયું છે.

જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ ૧૮૨ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૪ વેન્ટીલેટર પર છે. ૧૭૮ સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સાહરવાર લઇને ૮,૧૪,૮૫૮ નાગરિકો સાજા થઇ ચુક્યા છે. ૧૦,૦૭૮ નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે.

જાે કે આજે રાજકોટ કોર્પોરેશનમાં ૧ દર્દીનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૮ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં ૩, વડોદરા કોર્પોરેશન ૩, આણંદ ૧, દેવભૂમિ દ્વારકા ૧ અને રાજકોટ ૧ એક કુલ ૧૭ કેસ નોંધાયા છે.

જાે રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી ૧૪૪ કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને ૫૪૧૬ કર્મચારીને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૪૫ વર્ષથી વધારેની ઉંમરના ૧,૩૭,૪૫૧ નાગરિકોને રસીનો પ્રથમ અને ૭૩,૬૫૬ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૧૮-૪૫ વર્ષ સુધીના ૩,૯૭,૯૦૮ નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે ૧૯,૨૧૪ નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૬,૩૩,૭૮૯ કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં ૩,૮૫,૯૦, ૬૬૧ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.