અમદાવાદ જિલ્લાના ધોલેરા ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
ભારતના ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે અમદાવાદ જીલ્લાના ધોલેરા ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મામલતદાર કચેરીના પટાંગણમાં યોજાયો હતો.ધોલેરા તાલુકાના મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી એન.બી.રાઠોડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ દળ દ્વારા સશસ્ત્ર સલામી આપવામાં આવી હતી.
ધોલેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ મેડિકલ ઓફિસર, હેલ્થ વર્કસ સાથે પાંચ કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપીને વહીવટીતંત્ર દ્રારા સન્માન કરવામા આવ્યુ. આ અવસરે અધિકારીશ્રીઓ દ્રારા રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી ખાતે વૃક્ષારોપણ કરવામા આવ્યું.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી ડો.ભાવિનભાઈ કથિરિયા,અમદાવાદ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દિગ્પાલસિંહ ચુડાસમા, નાયબ મામલતદાર શ્રી ભગીરથસિંહ વાળા અને અધિકારીશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.