લાહોરમાં રણજીતસિંહની મૂર્તિ પર હુમલો, ભાંગફોડ
લાહોર, પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે જીવવુ મુશ્કેલ થઈ ગયુ છે. કોઈને કોઈ વાતે કટ્ટરવાદીઓ લઘુમતીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. લઘુમતીઓ જ નહીં પણ તેમની સંસ્કૃતિ પણ આવા કટ્ટરવાદીઓના નિશાના પર રહેતી હોય છે. તાજેતરમાં જ લાહોરમાં આવેલા કિલ્લામાં સ્થપાયેલી મહારાજા રણજીતસિંહની મૂર્તિ પર શુક્રવારે ફરી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો પાકમાં પ્રતિબંધિત સંગઠન તહરીક એ લબ્બૈક નામના સંગઠને કર્યો છે.
પ્રતિમા પર આ ત્રીજાે હુમલો છે. જાેકે હુમલાખોરોની ઓળખ સામે આવી નથી પણ સોશિયલ મીડિયા પર જે વિડિયો સામે આવ્યા છે તેમાં જાેઈ શકાય છે કે, શંકાસ્પદ હુમલાખોરોએ હાથથી પ્રતિમાના પગ અને બીજાે હિસ્સો તોડી નાંખ્યો હતો.જાેકે હુમલાખોરો વધારે નુકસાન પહોંચાડે તે પહેલા બીજા લોકોએ આવીને તેમને રોકી લીધા હતા.
હુમલાખોરોએ રણજીતસિંહ સામે નારા પણ લગાવ્યા હતા. આ પ્રતિમા કાંસામાંથી બનાવાયેલી છે અને તેનુ કદ નવ ફૂટનુ છે. મહારાજા રણજીતસિંહ શીખ પોશાકમાં ઘોડા પર બેઠા હોય તેવી આ પ્રતિમા પર ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ ભીડે આ પ્રતિમાને નુકસાન પોહંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.SSS